Ayurveda: આ 5 આયુર્વેદિક ઉપચાર તમારી ભૂલવાની બીમારીને ભુલાવી દેશે, યાદશક્તિ વધારવા આજે જ અજમાવો

જેમ જેમ જીવનશૈલી બદલાતી જાય છે તેમ તેમ માનસીક સમસ્યાઓ પણ વધી રહી છે. જેમાં એક છે એકાગ્રતા અને યાદશક્તિની સમસ્યા. ચાલો જાણીએ તેના ઉપચાર.

Ayurveda: આ 5 આયુર્વેદિક ઉપચાર તમારી ભૂલવાની બીમારીને ભુલાવી દેશે, યાદશક્તિ વધારવા આજે જ અજમાવો
5 Ayurvedic Ways To Increase Memory And Concentration
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2021 | 8:28 AM

સ્મૃતિ ભ્રંશ એટલે કે ભૂલવાની બીમારી એ એક સમસ્યા છે જે ખૂબ પરેશાન કરી શકે છે. આ સમસ્યા મોટાભાગે વૃદ્ધોમાં થાય છે. આ યુગમાં તણાવ એટલો વધી ગયો છે કે યુવાનો પણ તેનાથી પ્રભાવિત થઈ શકે છે. આ કારણોસર, ઘણી નાની નાની વસ્તુઓ ભૂલાઈ જાય છે. માનસિક રીતે સ્વસ્થ (Menal Health) રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભૂલી જવાનું મુખ્ય કારણ એકાગ્રતાનો અભાવ હોઈ શકે છે. આ માટે તમે કેટલાક આયુર્વેદિક (Ayurveda) ઘરેલું ઉપાય અને ઉપચાર અપનાવી શકો છો.

બ્રાહ્મી

બ્રાહ્મી (Brahmi) એક પ્રાચીન જડીબુટ્ટી જુરી છે. જે ઔષધીય ગુણધર્મો ધરાવે છે. તેનો ઉપયોગ લોકો વર્ષોથી કરતા આવ્યા છે છે. તે હજારો વર્ષોથી દવામાં વપરાય છે. બ્રાહ્મી મગજના કાર્યને વધારવાનું કામ કરે છે. આ તણાવ અને અસ્વસ્થતામાંથી રાહત આપે છે. તે માનસિક સ્વાસ્થ્ય સુધારવામાં પણ મદદ કરે છે. તેના સ્વાસ્થ્ય લાભ ઘણા છે. બ્રાહ્મીનું સેવન કરવાથી સ્મૃતિ, મન અને એકાગ્રતામાં વધારો થાય છે. તે યાદશક્તિને લગતી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. દૂધ અને પાણી સાથે મેળવીને બ્રાહ્મી પાવડર પીવાથી ઘણા લાભ થાય છે. તે મનને તેજ બનાવવામાં મદદરૂપ સાબિત થાય છે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

શંખપૂષ્પી

શંખપૂષ્પીને (Shankhpushpi) હળવા ગરમ પાણીમાં ચમચી મેળવીને નિયમિતપણે નિયમિતપણે કરવાથી ઘણા લાભ થાય છે. આ આયુર્વેદિક ચિકિત્સામાં મૂલ્યવાન ઔષધી છે. તેનો ઉપયોગ મનને શાંત કરવા અને યાદશક્તિ વધારવા માટે થાય છે. તે તાણ અને અસ્વસ્થતા ઘટાડવાનું કામ કરે છે.

અશ્વગંધા

અશ્વગંધા (Ashwagandha) પણ એક પ્રાચીન અને પરંપરાગત ઔષધીય વનસ્પતિ છે. તે વર્ષોથી દવા તરીકે ઉપયોગમાં લેવાય છે. શારીરિક બિમારીઓને દૂર કરવાની સાથે તે માનસિક સ્વાસ્થ્યને પણ ઠીક રાખે છે. અશ્વગંધા માનસિક અને શારીરિક તાણ બંને ઘટાડવાનું કામ કરે છે. અશ્વગંધા મગજમાં ઓક્સિડેટીવ તાણ ઘટાડવા માટે જાણીતી છે. તે માત્ર યાદશક્તિમાં વધારા સાથે મગજના રોગોનું જોખમ ઘટાડવાનું પણ કામ કરે છે. તમે તેને દૂધ, પાણી, મધ અથવા ઘી સાથે ભેળવીને પી શકો છો.

તુલસી

તુલસીને (Tulsi) અન્ય ઔષધિઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. તુલસી આયુર્વેદમાં તેના સ્વાસ્થ્ય લાભ માટે જાણીતી છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં એન્ટીબાયોટીક, એન્ટિ-વાયરલ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી-કાર્સિનોજેનિક ગુણધર્મો હોય છે. જેનાથી આરોગ્યની ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે તે કામ કરે છે. તે યાદશક્તિ અને એકાગ્રતા વધારવાનું પણ કામ કરે છે. આ માટે તમારે 5 થી 10 તુલસીના પાન, 5 બદામ, 5 કાળા મરી અને મધ મેળવીને મેળવી પીવાની જરૂર છો.

ધ્યાન

નિયમિત ધ્યાન (Meditation) તમને માનસિક રીતે સ્વસ્થ રાખે છે. ધ્યાન મનને શાંત કરવા માટે જાણીતું છે. ધ્યાન તણાવ ઘટાડે છે. આ એકાગ્રતા વિકસાવવા માટે પણ કરવામાં આવે છે.

આ પણ વાંચો: ઉપવાસમાં કેમ ખાવામાં આવે છે સિંધવ મીઠું? શું છે કારણ? સિંધવ મીઠાથી ફાયદો કે નુકસાન?

આ પણ વાંચો: Health: સરળતાથી ઉપલબ્ધ કઢી લીમડાના રસના છે અનેક ફાયદા, શરીરથી ઘણા રોગ રહેશે દૂર

(નોંઘ: આ લેખ પ્રાથમિક માહિતીઓના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. અહી સૂચવેલા કોઈ પણ પ્રયોગ-ઉપાયને અજમાવતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી)

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">