Child Health : બાળકનું વજન ન વધવા પાછળ માતાપિતાની આ બેદરકારી પણ હોય શકે છે જવાબદાર
માતાપિતાની બીજી બેદરકારી સ્વચ્છતાના અભાવનું કારણ બને છે. તેઓ તેમના કામમાં વ્યસ્ત થઈ જાય છે અને તેમનું બાળક પડી ગયેલી વસ્તુઓ ખાવાની ભૂલ કરે છે.
જો માતા-પિતા (Parents )પોતાના બાળકને હેલ્ધી (Healthy ) ફૂડ આપતા હોય અને તે પછી પણ તેનું વજન (Weight ) ન વધે તો તે ચિંતાનો વિષય છે. આટલી મહેનત પછી વજન ઓછું થવાથી ઘણી વાર મા-બાપ પરેશાન થાય છે. તેની પાછળ એક મહત્વપૂર્ણ ભૂલ છે, જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. ઘણીવાર માતા-પિતા આ ભૂલને નજરઅંદાજ કરવાની ભૂલ કરી બેસે છે.
અહીં આપણે સ્વચ્છતા વિશે વાત કરી રહ્યા છીએ. ખરેખર, ભારતમાં મોટાભાગના માતા-પિતા હાથ ધોયા વિના બાળકને ખોરાક ખવડાવે છે. અથવા તો બાળક ગમે ત્યાં હાથ મૂકે છે અને માતા-પિતા હાથ ધોયા વિના તેને ખાદ્યપદાર્થો આપે છે. આ પદ્ધતિ તેને ખૂબ બીમાર કરી શકે છે.
સ્વચ્છતાનો અભાવ
સ્વચ્છતાના અભાવે બાળકનું વજન ઓછું રહે છે અને સાથે જ તે અનેક પ્રકારના ઈન્ફેક્શનનો પણ શિકાર બને છે. શરદી અને ફ્લૂ સિવાય બાળકને યુરિન ઈન્ફેક્શન પણ થઈ શકે છે. જેથી બાળકને ખવડાવતા પહેલા સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો, જો તમે બાળકને ખવડાવતા હો, તો ધ્યાન રાખો કે તમે પણ સ્વચ્છતા બાબતે એટલા જ સજાગ રહો.
હાથ ધોવાથી આદત
બાળક ગમે તેટલું નાનું હોય, તેની સ્વચ્છતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમારું બાળક 2 વર્ષનું છે, તો વચ્ચે વચ્ચે તેના હાથ ધોવા. તેને પણ શીખવો કે આપણે વારંવાર હાથ ધોવા જોઈએ. જો બાળક જાતે ખાતા શીખી ગયું હોય તો એ બાબતનું ધ્યાન રાખો કે તે જયારે પણ જમવા બેસે ત્યારે હાથ પગ સારી રીતે ધોઈ લે. અને પછી જ ભોજન કરે.
ફૂડ પોઇઝનિંગ
માતાપિતાની બીજી બેદરકારી સ્વચ્છતાના અભાવનું કારણ બને છે. તેઓ તેમના કામમાં વ્યસ્ત થઈ જાય છે અને તેમનું બાળક પડી ગયેલી વસ્તુઓ ખાવાની ભૂલ કરે છે. આ કારણે તેને ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે છે. તેનાથી બચવાનો એક માત્ર ઉપાય એ છે કે નીચે જો ખાવાની વસ્તુ પડી ગઈ હોય તો તેને તરત ઉઠાવી લો. અને બાળકને તે ખાવાથી બચાવો.
(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 આની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)