શું Weight Loss માટે રાતે ભોજન ના કરી શકાય? જાણો આ પાછળ શું છે સત્ય
ઘણા લોકો એવું માનતા હોય છે જે, વજન ઘટવું હોય તો ઓછું ખાવું. વજન ઘટાડતા (Weight Loss) લોકો કંઈક આવું જ માનતા હોય છે. પરંતુ વજન ઘટાડવા માટે ઘણા લોકો રાતે જમતા નથી.
ઘણા લોકો એવું માનતા હોય છે જે, Weight ઘટાડવું હોય તો ઓછું ખાવું. વજન ઘટાડતા (Weight Loss) લોકો કંઈક આવું જ માનતા હોય છે. પરંતુ વજન ઘટાડવા માટે ઘણા લોકો રાતે જમતા નથી. પરંતુ આ સાચું નથી. વજન ઘટવાનો ( Weight Loss)મતલબ છે કે કેલેરી ઓછી ખાવ અને અલગ-અલગ એક્ટિવિટી કરીને કેલેરી બર્ન કરો. ડાયટમાં કેલેરી ઓછી કરવી વજન ઘટાડવા માટે મહત્વનો ભાગ ભજવે છે.
એવું કહેવામાં આવે છે કે વ્યક્તિએ સવારે સૌથી વધુ કેલરી લેવી જોઈએ અને દિવસની પ્રગતિ સાથે કેલરીમાં ઘટાડો કરવો જોઈએ. પરંતુ આનો અર્થ એ નથી કે તમે રાતે ના જમો. રાત્રિભોજન છોડવું ચોક્કસપણે કમરને પાતળો બનાવશે, પરંતુ થોડા સમય પછી તે વજનમાં બમણો વધારો પણ કરી શકે છે.
જર્નલ ઓફ ન્યુટ્રિઅન્ટ્સમાં પ્રકાશિત એક સંશોધન મુજબ, જે લોકો દરરોજ રાતે ભોજન કરે છે અને જેઓ રોજ રાતે ભોજન નથી કરતા તેનું વજન વધ્યું છે. આ સંશોધન 6 વર્ષ સુધી ચાલ્યું અને તમને જાણીને આશ્ચર્ય થશે કે આ સમયગાળા દરમિયાન ખાલી પેટ સુતા લોકોના વજનમાં 10 ટકાનો વધારો થયો છે. આ લોકો મેદસ્વીપણા અથવા વધારે વજન સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. સ્ત્રીઓ અને પુરુષોમાં પણ આ જ પરિણામ જોવા મળ્યું.
આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો રાત્રિભોજન છોડી દે છે તેઓ સામાન્ય રીતે સાંજે જંક ફુડ અથવ તો નાસ્તો ખાતા હોય છે. જેના કારણે તેમનું પેટ ભરાઈ ગયું છે અને તેઓ રાત્રિભોજન છોડી દે છે. આ સમય દરમિયાન તેમને ખબર નથી હોતી કે આવા વલણોને અનુસરીને તેઓ કંઈપણ સારું કરી રહ્યા નથી. ચરબીયુક્ત, કાર્બથી ભરપુર ખોરાક ખાવાથી તમારું વજન ઓછું નહીં થાય, તેનાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. રાત્રે તંદુરસ્ત ખોરાક લેવો અને ડાયટ પ્લાન મુજબ જંક અથવા નાસ્તા ખાવાથી વધારે સારું છે.
જો તમે રાત્રિભોજન કરવા ના માંગતા હોય તો તમારો ડાયટ પ્લાન બનાવો અને દિવસ દરમિયાન નાસ્તામાં અને બપોરના સમયે કેલરી ખાઓ. જે લોકો ઉપવાસ કેર છે તે દિવસમાં એક વખત જ જમે છે. સામાન્ય રીતે ઉપવાસ કરતા લોકો રાતે જમતા નથી અને તે લોકો સંપૂર્ણ કેલેરી લે છે. પરંતુ દરરોજ એક સમયે ના જમવું તે લાંબા સમયે મુશ્કેલ થઇ જાય છે. લોકો પેટ ભરવા માટે સાંજે હેલ્થી નાસ્તાનો સહારો લે છે.
ઉપવાસ એક ડાયટ નથી પરંતુ જમવાની એક પેટર્ન છે જે બધા માટે કારગર સાબિત થઇ છે. જે લોકો થોડા કિલો વજન ઓછું કરવાની કોશિશ કરે છે. જો તમે રાતે જમવા નથી માંગતા તો ઉપવાસને ફોલો કરો તે સૌથી વધુ અસરદાર સાબિત થાય છે.
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)