Health Tips: કેરી ખાવાથી ફાયદાની સાથે-સાથે થાય છે આ નુકસાન

આપણે કેરી ખાવાના ફાયદા વિશે તો આપણે જાણીએ છીએ પણ આ ફળ ખાવાની કેટલીક આડઅસરો પણ છે. જેને જાણવું તમારા માટે તેટલું જ જરૂરી છે.

Health Tips: કેરી ખાવાથી ફાયદાની સાથે-સાથે થાય છે આ નુકસાન
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 12, 2021 | 10:17 PM

Health Tips: કેરી (Mango) એક અને એકમાત્ર કારણ છે કે ઘણા લોકો ઉનાળાની રાહ જોતા હોય છે. કેરી ભારતનું રાષ્ટ્રીય ફળ છે અને તે બધાં ફળનો રાજા પણ માનવામાં આવે છે. કેરીમાં વિવિધ રંગો પણ જોવા મળે છે અને ઘણા લોકો માટે તે એકદમ પ્રિય ફળ પણ છે. આપણે કેરી ખાવાના ફાયદા વિશે તો આપણે જાણીએ છીએ પણ આ ફળ ખાવાની કેટલીક આડઅસરો પણ છે. જેને જાણવું તમારા માટે તેટલું જ જરૂરી છે.

1) આ ફળમાં ખાંડની માત્રા વધારે હોય છે, તેથી તે ડાયાબિટીઝ ધરાવતા લોકો માટે હાનિકારક હોઈ શકે છે. જો તમે પણ ડાયાબિટીઝથી પીડિત છો તો તમારે કેરીનું સેવન કરતા પહેલા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

2. વધારે પ્રમાણમાં કેરીઓ લેવાથી ઝાડા થઈ શકે છે. મધ્યમ માત્રામાં કોઈપણ ફૂડ ખાવાનું હંમેશાં વધુ સારું છે. કેરીમાં ભરપૂર માત્રામાં ફાયબર પણ રહેલું છે અને તેનો વધારે વપરાશ ડાયેરીયાના પ્રશ્નોનું કારણ બની શકે છે.

3. કેરીમાં યુરુશીયલ નામનું રસાયણ હોય છે. જે લોકોને આ કેમિકલ પ્રત્યે એલર્જી હોય તે લોકોને સ્કીન પ્રોબ્લેમ થઈ શકે છે.

4. આ ફળથી કેટલાકને એલર્જી થઈ શકે છે. જેમાં આંખોમાંથી પાણી આવવું, વહેતું નાક, શ્વાસ લેવાની સમસ્યાઓ, છીંક આવવી, પેટમાં દુખાવો વગેરે થઈ શકે છે. જો તમને આમાંના કોઈપણ લક્ષણોનો સામનો કરવો પડે તો તમારે થોડા દિવસો માટે કેરીનું સેવન કરવાનું બંધ કરવું પડશે.

5. કેરી પણ અપચાનું કારણ બની શકે છે, ખાસ કરીને કાચી કેરી. કાચી કેરીના વધુ પડતા ઉપયોગથી બચો.

6. બધા ફળોના રાજામાં કેરીમાં કેલરી પણ વધુ હોય છે. જે વજન વધારવા માટે પણ ખૂબ સારી છે. ફક્ત એક કેરીમાં 150 કેલરી હોય છે. તેથી, જો તમારુ વજન વધારે છે તો તમારે તમારા કેરીના વપરાશની સંભાળ લેવાની જરૂર છે.

7. કેરીને લીધે તાવ પણ આવી શકે છે. તેનાથી ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ અને ત્વચાની લાલાશનું આવે છે.

8. એક સંશોધન મુજબ કેરી તમારા શરીરની ગરમીમાં ખૂબ વધારો કરી શકે છે, આયુર્વેદ અનુસાર કેરીનું સેવન ક્યારેય દૂધ સાથે કરવું જોઈએ નહીં. કારણ કે તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.

9. જે દર્દીઓમાં સંધિવા હોય છે તેઓ ખૂબ જ ઓછી માત્રામાં કેરીનું સેવન કરી શકે છે.

(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતી ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.)

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">