Benefits of Cumin Seeds : જાણો જીરાથી થતાં 7 ફાયદાઓ, શરદીથી લઈ રેસ્પિરેટરી સુધીની તકલીફમાં છે અતિ ગુણકારી

સ્ત્રીઓને પીરિયડ દરમિયાન ઘણી પીડા થાય છે તેના માટે જીરું ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. જીરુંમાં આવા ઘણા ગુણો છે જે આ સમસ્યાને દૂર કરે છે

Benefits of Cumin Seeds : જાણો જીરાથી થતાં 7 ફાયદાઓ, શરદીથી લઈ રેસ્પિરેટરી સુધીની તકલીફમાં છે અતિ ગુણકારી
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: May 15, 2021 | 5:49 PM

Benefits of Cumin Seeds : રસોડામાં જીરાનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે. તે રસોડાનો એક પરંપરાગત મસાલો છે. પરંતુ શું તમે જાણો છો કે જીરું માત્ર દાળ અને શાકભાજીનો સ્વાદ વધારવાનું કામ કરે છે, પરંતુ તે ઘણી શારીરિક સમસ્યાઓ દૂર કરવામાં પણ અસરકારક છે. ચાલો જાણીએ જીરામાં ઔષધીઓના ગુણધર્મો વિશે.

1. જ્યારે લાલ રક્ત કોશિકા (RBC) ઓ શરીરમાં ઓછી થાય છે, ત્યારે આ સમસ્યાને એનિમિયા કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં, વ્યક્તિના શરીરમાં લોહીનો અભાવ હોય છે અને તે ખૂબ જ થાક અને નબળાઇ અનુભવે છે. આ સ્થિતિમાં જીરુંનું સેવન ખૂબ ફાયદાકારક છે. જીરુંમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે જે લાલ રક્તકણોમાં ઝડપથી વધારો કરે છે.

2. જીરુંની અંદર કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જોવા મળે છે. જીરુંનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે, સાથે જ આર્થરાઈટિસ અને ઑસ્ટિઓપોરોસિસ જેવા રોગોથી શરીરનું રક્ષણ થાય છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

3. જો તમને વારંવાર શરદી અથવા કફની સમસ્યા હોય છે, તો તમારે જીરાનું સેવન ચોક્કસપણે કરવું જોઈએ. જીરુંમાં એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે આ સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.

4. ફક્ત આ જ નહીં, જીરુંનો ઉપયોગ આખી શ્વસનતંત્રને સારી સ્થિતિમાં રાખે છે. તેમાં એન્ટી કન્જેસ્ટિવ ગુણધર્મો છે જે ફેફસાંને સાફ કરવા અને શ્વસન સમસ્યાઓમાં રાહત આપવા માટે કામ કરે છે.

5. જો તમને ગેસ અને એસિડિટીની સમસ્યા હોય અથવા ભૂખ ન લાગે તો જીરું આ સમસ્યાઓને દૂર કરી શકે છે. જીરાની અંદર આવા ઘણા ઉત્સેચકો (Enzymes) જોવા મળે છે, જે પેટની સમસ્યાઓથી રાહત આપે છે.

6. જે સ્ત્રીઓને પીરિયડ દરમિયાન ઘણી પીડા થાય છે તેના માટે જીરું ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. જીરુંમાં આવા ઘણા ગુણો છે જે આ સમસ્યાને દૂર કરે છે. આ ઉપરાંત જે મહિલાઓને ડિલિવરી પછી દૂધ ઓછું હોય છે તેમને પણ જીરુંનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.

7. બધા સંશોધન સૂચવે છે કે જીરું શરીરમાંથી ચરબી ઝડપથી ઘટાડવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં મેદસ્વીપણાને ઘટાડવા માટે ખૂબ ફાયદાકારક છે. આ સિવાય જીરું ખાવાથી શરીરમાં મેટાબોલિઝમ સુધરે છે.

આ રીતે કરો પ્રયોગ આમ તો જીરાને શેકીને તેનો પાઉડર બનાવી દહી-છાશ સાથે તેનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ તેનો સંપૂર્ણ લાભ લેવા માટે, એક કપ પાણીમાં એક ચમચી જીરું 4-5 કલાક પલાળી રાખો. આ પછી, પાણીને અડધૂ થઈ જાય ત્યાં સુધી ઉકળવા દો, પછી પીવો. સવારે ખાલી પેટ જીરાનું પાણી પીવું વધારે ફાયદાકારક છે.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">