Summer: ફ્રીજ કરતા માટલાનું ઠંડું પાણી શ્રેષ્ઠ, ઈમ્યુનિટી વધારવામાં થાય છે મદદગાર

બળબળતી બપોરમાં વારંવાર તરસ લાગે છે અને લોકો સીધું જ ફ્રીજનું પાણી પીવાનું પસંદ કરે છે. પરંતુ ઘણીવાર તેનાથી લોકોને ગળામાં ખારાશ અને શરદી ખાંસીની તકલીફ થઈ શકે છે.

Summer: ફ્રીજ કરતા માટલાનું ઠંડું પાણી શ્રેષ્ઠ, ઈમ્યુનિટી વધારવામાં થાય છે મદદગાર
માટલાનું ઠંડું પાણી
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 24, 2021 | 11:19 AM

ગરમીમાં ઠંડું પાણી દરેકને પસંદ છે. બળબળતી બપોરમાં વારંવાર તરસ લાગે છે અને લોકો સીધું જ ફ્રીજનું પાણી પીવાનું પસંદ કરે છે. પરંતુ ઘણીવાર તેનાથી લોકોને ગળામાં ખારાશ અને શરદી ખાંસીની તકલીફ થઈ શકે છે. આરોગ્ય નિષ્ણાંતોનું માનવું છે કે ગરમીમાં ફ્રીઝનું ઠંડુ પાણી પીવાથી ગળામાં ઘણા પ્રકારના રોગ પણ થઈ શકે છે.

વધારે ઠંડું પાણી પીવાથી ગળાની ક્ષમતા પણ અચાનક ઓછી થઈ જાય છે. તેનાથી ગળું પાકવા ઉપરાંત ગ્રંથિઓમાં સોજો આવવાની સમસ્યા પણ થઈ શકે છે. તેવામાં ઘણા લોકો માટલાનું પાણી પીએ છે, જે તેમને ઠંડક આપે છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદો કરાવે છે. માટીના માટલામાં પાણી પીવાથી લૂથી બચી શકાય છે. સાથે જ શરીરને સ્વસ્થ રાખવામાં પણ મદદ મળે છે. આવો જાણીએ માટલામાંથી પાણી પીવાના ફાયદા.

ઇમ્યુનિટી વધારવામાં મદદગાર માટલાનું ઠંડું પાણી ફ્રિજમાં મુકેલી પ્લાસ્ટિકની બોટલમાં રાખવામાં આવેલા પાણી કરતા પણ વધારે લાભકારી છે. માટલાના પાણીમાં રહેલા તત્વ શરીરની પ્રતિરક્ષા પ્રણાલીને મજબૂત કરે છે. સાથે જ તેનાથી બોડીમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનના ઉત્પાદન પણ વધારો થાય છે, જે શરીરને ઠંડક પહોંચાડે છે. માટે આ પાણી પ્રાકૃતિક રૂપથી ફાયદો આપે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

માટીના ઘડામાં તળિયામાં નાના છિદ્ર હોય છે, જેમાં પાણી આસાનીથી ફિલ્ટર અને શુદ્ધ થઈ જાય છે. જેનાથી તેની ગરમી નાશ પામે છે. તેના કારણે માટીના માટલામાં રાખેલું પાણીનું તાપમાન ઓછું હોય છે, જે પેટ સંબંધિત રોગોને દુર રાખે છે.

માટલાને રંગવા માટે ઘેરુનો ઉપયોગ થાય છે. જે ગરમીમાં ઠંડક આપે છે. તેવામાં કબજિયાતથી પીડાતા લોકો આ પાણી પી શકે છે. સાથે જ તેમાં રહેલા મિનરલ્સ પાચન સુધારવામાં પણ મદદ કરે છે. તેનાથી મેટાબોલિઝમ મજબૂત થાય છે. ઘડાના પાણીમાં કોઈપણ પ્રકારનો કેમિકલ હોતો નથી તેવામાં માટલાનું પાણી પીવાથી મેટાબોલિઝ્મ સુધરે છે અને હાઇડ્રેટ રહી શકાય છે.

આયુર્વેદના અનુસાર ગરમીમાં માટલામાં રાખેલું પાણી પીવું ખૂબ ફાયદાકારક છે. તેમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ અને બીજા પોષક તત્વો જોવા મળે છે જે શરીરને ડીહાઇડ્રેટ નથી થવા દેતા.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">