Panipuri benifit: વજન વધી ગયું છે તો પાણીપુરીનું આજથી જ સેવન કરો
જો તમને કહેવામાં આવે તો પાણીપુરી ખાવાથી વજન ઘટશે તો તમે ચોંકી જશો. પરંતુ આ સાચું છે. શરીરની વધારાની ચરબીને દૂર કરવા માટે પાણીપુરીનું સેવન કરવું જોઈએ.
નાના બાળકોથી લઈને મોટા સુધી બધાને જ પાણીપુરીનો (Panipuri)સ્વાદ પસંદ હોય છે. પાણીપુરી (Panipuri ) દેશનું સૌથી પસંદગી સ્ટ્રીટ ફૂડ પૈકી એક છે. ઘણા લોકો ડાયેટને કારણે પાણીપુરી ખાવાથી દૂર રહેતા હોય છે. જો તમને કહેવામાં આવે તો પાણીપુરી ખાવાથી વજન ઘટશે તો તમે ચોંકી જશો. પરંતુ આ સાચું છે. શરીરની વધારાની ચરબીને દૂર કરવા માટે પાણીપુરીનું સેવન કરવું જોઈએ.
મોટાપાથી પરેશાન લોકોએ તેના બોડી પરથી ચરબી ઘટાડવા માટે પાણીપુરી ઘણી મદદગાર છે. વજન ઘટાડવા માટે પાણીપુરી સારો ઓપ્શન છે. પાણીપુરીથી તમારું વજન આસાનીથી ઓછું થઇ જાય છે.
આ દિવસોમાં 6 પાણીપુરીની ડાયટિંગ કરવાનો ટ્રેન્ડ જોરશોરથી ચાલી રહ્યો છે. 6 પાણીપુરીની પ્લેટ તમારું વજન ઘટાડશે. તમારે બહારની બદલે ઘરે બનાવેલી પાણીપુરી ખાવાની છે.
તમે જાણતા હશો કે પાણીપુરીનું મસાલેદાર પાણી પીધા પછી તમને કલાકો સુધી ભૂખ નથી લાગતી. આ સ્થિતિમાં તમને વજન ઘટાડવામાં ઘણી મદદ મળશે. ડાયેટિશિયન્સના મતે, પાણીપુરી તમને વજન ઘટાડવામાં મદદ કરશે.
ઘરે બનાવેલા પાણીપુરીના પાણીના ઘણા ફાયદા છે. જો તમે ફુદીના, જીરું અને હીંગથી પાણી તૈયાર કરો છો, તો તે તમારા પાચન માટે સારું રહેશે. તમે તેમાં કોથમીરનો ઉપયોગ પણ કરી શકો છો, જે શરીરમાં બળતરા અટકાવે છે. હીંગથી મહિલાઓના પીરિયડ્સની પીડા ઓછી થાય છે. જીરું પાચનમાં મદદ કરે છે. પાણીપુરીના પાણીમાં ઘણા પાચક ગુણધર્મો છે.
ગોલગપ્પાના પાણીમાં હીંગ ઉમેરીને તેની ગુણધર્મોમાં વધુ વધારો કરવામાં આવે છે. આ કિસ્સામાં હિંગ અને અજમો પણ નાંખો. સોજીને બદલે લોટમાંથી બનાવેલી પુરી ખાવ.
પાણીપુરીના પાણીમાં ઘણાં પાચક ગુણધર્મો છે. જીરું પાચનમાં મદદગાર છે અને તે મોઢાની દુર્ગંધથી પણ બચાવે છે. પુદીનામાં એન્ટી ઓક્સીડન્ટ અને ફાયટોન્યુટ્રિએન્ટ્સથી ભરપુર છે જે પાચનમાં મદદ કરે છે. તે પેટના ખેંચાણને પણ શાંત પાડે છે અને એસિડિટીને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે અને ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમવાળા દર્દીઓ માટે ફાયદાકારક છે.
આ સાથે જ જો તમે પાણીપુરીનો ડાયેટ તરીકે ઉપયોગ કરો છો તો તેમાં મીઠી ચટણી ટાળો. મીઠું પાણી ખાવાથી વજન વધે છે. બટાકાની સ્ટફિંગને બદલે પાણીપુરીમાં ચણા અથવા મૂંગ સ્પ્રાઉટ્સ સ્ટફિંગ બનાવો. તેઓ સ્વસ્થ છે અને પાણીપુરીનો સ્વાદ પણ વધારે છે.
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)