સ્વાસ્થ્યને સુધારવાની બદલે ખરાબ કરી શકે છે અખરોટનું સેવન, જાણો કેવી રીતે ?
અખરોટને એનર્જીનું પાવરહાઉસ પણ કહેવામાં આવે છે. અખરોટ આરોગ્ય માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. અખરોટ અને અખરોટનું તેલથી ઘણી સમસ્યાઓમાં રાહત મળે છે.
ડ્રાયફ્રુટ અને નટ્સ સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો તમે દરરોજ ડાયેટમાં સામેલ કરો છો તો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. બદામ, કાજુ, કિસમિસ, ખજૂર, અખરોટ (walnuts) ઘણા ડ્રાયફ્રુટ છે જે શરીરને સ્વસ્થ રાખે છે. આજે અમે વાત કરી રહ્યા છીએ અખરોટની. (walnuts) અખરોટને એનર્જીનું પાવરહાઉસ પણ કહેવામાં આવે છે. અખરોટ આરોગ્ય માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. અખરોટ અને અખરોટનું તેલથી ઘણી સમસ્યાઓમાં રાહત મળે છે. અખરોટનું તેલ પેટ, આંતરડાને શાંત કરવા અને અતિસાર અને હરસ મટાડે છે. જ્યારે અખરોટમાં હાજર ઓમેગા -3 ફેટી એસિડ્સ, તાંબુ, મેંગેનીઝ, મોલીબડેનમ અને બાયોટિન જેવા તત્વો શરીરને લાભ આપે છે. અખરોટમાં ઘણા એવા તત્વો પણ છે જે શરીરને ફાયદો કરવાને બદલે નુકસાન કરે છે. તેના સેવનથી મેદસ્વીપણા, એલર્જી અને ઝાડા જેવી સમસ્યાઓ થઈ શકે છે. ચાલો આજે અમે તમને અખરોટના સેવનથી થતી મુશ્કેલીઓ વિશે જણાવીએ.
પાચનની સમસ્યા જો અખરોટ વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવે તો તે પાચનની સમસ્યાઓ થઇ શકે છે. જો તમને પાચનમાં કોઈ સમસ્યા હોય છે તો અખરોટનું સેવન કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લો. પાચક આડઅસરોમાં પેટનું ફૂલવું, પેટમાં દુખાવો અને ઝાડા થઇ શકે છે.
એલર્જી કેટલાક લોકોને અખરોટ ખાવાથી એલર્જી થઈ શકે છે. જો તમને એલર્જીની સંભાવના છે, તો અખરોટથી સાવચેત રહો. અખરોટની એલર્જીક પ્રતિક્રિયાના લક્ષણો અલગ અલગ હશે. જેમ કે ખંજવાળ અથવા ઉલ્ટી થઇ શકે છે. જો તમને આ આડઅસરોનો અનુભવ થાય છે, તો પછી તેનાથી દૂર રહો.
વજન વધવું અખરોટએ ફાઇબરનો ઉત્તમ સ્રોત છે અને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. પરંતુ તેમાં વધુ કેલરી પણ હોય છે. વધુ અખરોટ ખાવાથી તમને વધુ કેલરી મળશે. જેથી તમારું વજન વધારે છે. તેથી, મર્યાદિત માત્રામાં તેનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.
તમે એક દિવસમાં 7 અખરોટ ખાઈ શકો છો. તમે તેમને તમારા આહારનો એક ભાગ બનાવી શકો છો, પરંતુ વધારે માત્રા ન લો. અખરોટને તમારા રોજિંદા આહારનો એક ભાગ બનાવવો મહત્વપૂર્ણ છે. બદામના ઉત્તમ ફાયદા છે. તમે તેને તમારા આહારમાં વિવિધ સ્વરૂપોમાં સમાવી શકો છો.
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)