ઉભા રહીને પાણી પીતા હોવ તો કરી રહ્યાં છો મોટી ભૂલ, શું થઈ શકે છે નુકશાન ?
શરીરને રોજનું કેટલા પાણીની જરૂર છે અને તેનાથી શરીરને શું ફાયદા થાય છે તે તો બધા જાણતા જ હશે પણ કેવી રીતે પાણી પીવું જોઈએ, પાણી પીવાની સાચી ટેક્નિક શું છે તેના વિષે ઘણા ઓછા લોકોને ખબર હોય છે. આજે અમે તમને બતાવીશું પાણી કેવી રીતે પીવું જોઈએ ? Web Stories View more અંબાણી પરિવારની […]
શરીરને રોજનું કેટલા પાણીની જરૂર છે અને તેનાથી શરીરને શું ફાયદા થાય છે તે તો બધા જાણતા જ હશે પણ કેવી રીતે પાણી પીવું જોઈએ, પાણી પીવાની સાચી ટેક્નિક શું છે તેના વિષે ઘણા ઓછા લોકોને ખબર હોય છે. આજે અમે તમને બતાવીશું પાણી કેવી રીતે પીવું જોઈએ ?
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આયુર્વેદના નિયમ અનુસાર આપણે ક્યારેય પણ ઊભા રહીને પાણીના પીવું જોઈએ. તેનાથી આપણા શરીરની અંદર ઘણા પ્રકારની બીમારીઓ થઈ શકે છે.
કિડનીની બીમારી : કિડનીનું કામ આપણા શરીરમાં પાણીને ગાળીને મોકલવાનું હોય છે. જો તમે ઉભા રહીને પાણી પીવો છો તો તે પાણી યોગ્ય રીતે તમારે કિડનીમાં ગળાઈને શરીરમાં નથી જતું. જેના લીધે તમને કિડનીની બીમારી થઇ શકે છે અને મૂત્રાશય તથા લોહીમાં ગંદકી ધીરે ધીરે જમા થવા લાગે છે.
પેટની બીમારી ઉભા રહીને પાણી પીવાથી પાણી અન્નનળીમાંથી પસાર થઈને ઝડપથી નીચે ચાલ્યું જાય છે. જેના લીધે પેટની અંદરની દીવાલો અને આસપાસના અંગોને પાણીના પ્રવાહથી નુકસાન પહોંચે છે. દરરોજ આવું થવાથી તમારી પાચન શક્તિ બગડી શકે છે અને હૃદયની બીમારીઓ પણ થઈ શકે છે.
સંધિવા ની સમસ્યા જ્યારે આપણે ઊભા રહીને પાણી પીએ છીએ ત્યારે તેનાથી સૌથી મોટી સમસ્યા સંધિવાની થાય છે. કારણ કે જ્યારે આપણે ઊભા રહીને પાણી પીએ છે તો તે પાણી ઘૂંટણ માં રહેલ તરલ પદાર્થના સંતુલનને ખરાબ કરી દે છે. જેના લીધે ઘુંટણમાં દુખાવાનો સમસ્યા ઊભી થાય છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)