હૃદયની નળીઓમાંથી કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરશે આ પાંચ સંજીવની, જાણો આ ઘરેલું દવા

હૃદયરોગ અને હાર્ટ એટેક નું સૌથી મોટું કારણ હોય છે હૃદયની ધમનીઓ અને શિરાઓમાં કોલેસ્ટ્રોલ જમા થઈ જવું. કોલેસ્ટ્રોલના જમા થવાને કારણે નળીઓ અંદરથી સાંકડી થઇ જાય છે. અને હૃદય સુધી પર્યાપ્ત માત્રામાં લોહી પહોંચી શકતું નથી. ચરબી વધારે જામી જવાથી આ નળીઓ બંધ થઈ જાય છે. ,ત્યારે હૃદય સુધી લોહી પહોંચી ન શકવાના કારણે […]

હૃદયની નળીઓમાંથી કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરશે આ પાંચ સંજીવની, જાણો આ ઘરેલું દવા
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:08 PM

હૃદયરોગ અને હાર્ટ એટેક નું સૌથી મોટું કારણ હોય છે હૃદયની ધમનીઓ અને શિરાઓમાં કોલેસ્ટ્રોલ જમા થઈ જવું. કોલેસ્ટ્રોલના જમા થવાને કારણે નળીઓ અંદરથી સાંકડી થઇ જાય છે. અને હૃદય સુધી પર્યાપ્ત માત્રામાં લોહી પહોંચી શકતું નથી. ચરબી વધારે જામી જવાથી આ નળીઓ બંધ થઈ જાય છે. ,ત્યારે હૃદય સુધી લોહી પહોંચી ન શકવાના કારણે હાર્ટ એટેકની નોબત આવે છે.

જો તમે પણ હાઈ કોલેસ્ટ્રોલના દર્દી છો, અને બાયપાસ સર્જરી અથવા તો એન્જિયોપ્લાસ્ટીમાંથી પસાર થવા નથી માગતા, તો ઘરેલુ દવાનું સેવન તમારી મદદ કરી શકે છે. આ દવા હૃદયની નળીઓ થી કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદરૂપ સાબિત થશે. જાણીએ આ દવા કેવી રીતે બનાવશો ? દવા બનાવવા માટે તમને પાંચ વસ્તુની જરૂર પડશે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

લીંબુનો રસ એક કપ આદુનો રસ એક કપ કાંદાનો રસ એક કપ મધ ત્રણ કપ સફરજનનો સિરકો એક કપ

આ વાતનુ પુરતુ ધ્યાન રાખો કે સફરજનનો સિરકો ઘર પર જ બનાવેલો હોય અને પૂરી રીતે પ્રાકૃતિક હોય.

બનાવવાની રીત :

ઉપર જણાવેલા ચારેય રસને એકસાથે ભેગા કરી લો. અને એક વાસણમાં ગેસ પર ધીમી આંચ પર મૂકો. લગભગ અડધા કલાકથી એક કલાક સુધી ઉકાળ્યા પછી, જ્યારે આ મિશ્રણ ત્રણ કપ જેટલું રહી જાય, ત્યારે તેને ગેસ પરથી ઉતારી લો. અને ઠંડુ થવા માટે રાખી દો. તે ઠંડુ થઈ જાય ત્યારે તેમાં ત્રણ કપ મધ સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણને કોઈ બોટલમાં મૂકી દો.

રોજ સવારે ઉઠીને ખાલી પેટે એક ચમચી આ દવાનું સેવન કરો.ભલે તમને તેનો સ્વાદ પસંદ ન આવે, પણ નિયમિત રૂપથી તેના સેવનથી તમને હાર્ટ એટેકથી સુરક્ષિત રાખીને તમારી જીંદગી બચાવવા માં તે ખૂબ મદદગાર સાબિત થશે. અને તમે બાયપાસ સર્જરી અને એન્જિયોપ્લાસ્ટીથી બચી શકશો.

નોંધ- આરોગ્ય સંદર્ભની આ તસવીરો પ્રતિકાત્મક છે અને આ સંદર્ભમાં તજજ્ઞ તબીબની સલાહ લેવી જરૂરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">