Health Tips: કોરોનાકાળમાં આ રીતે રહો માનસિક તણાવથી દૂર, કરો આ ઉપાય

બહારથી અખરોટ જેવું દેખાતું મગજ અસંખ્ય ચેતાતંતુઓ નું બનેલું છે. એક સેકન્ડમાં સોળમાં ભાગમાં ત્વરિત નિર્ણયો લેતું મગજ સમગ્ર શરીરનું સંચાલન કેન્દ્ર છે.

Health Tips: કોરોનાકાળમાં આ રીતે રહો માનસિક તણાવથી દૂર, કરો આ ઉપાય
File Photo
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 12, 2021 | 3:41 PM

Health Tips: બહારથી અખરોટ જેવું દેખાતું મગજ અસંખ્ય ચેતાતંતુઓનું બનેલું છે. એક સેકન્ડમાં સોળમાં ભાગમાં ત્વરિત નિર્ણયો લેતું મગજ સમગ્ર શરીરનું સંચાલન કેન્દ્ર છે .જો કોઈપણ કારણસર વ્યક્તિ સ્ટ્રેસ અનુભવે તો સમગ્ર શરીર પર તેની અસર થઈ શકે છે. શરીરના કોઈ પણ તંત્ર ઉપર પડતો દબાવ અને તેનાથી ઉત્પન્ન થતી સ્થિતિ તણાવનું નિર્માણ કરે છે. આપણી જીવનશૈલી કે માનસિક સામાજિક વાતાવરણમાં ઉભા થતાં પડકારો ઝીલવા આપણું શરીર અને મન જે પ્રતિક્રિયાઓ ઉત્પન્ન કરે છે તેને સ્ટ્રસ કહે છે.

1. તણાવથી જન્મે છે સ્વાસ્થ્ય સમસ્યાઓ એક અંદાજ મુજબ આશરે 80 ટકા રોગો માનસિક તણાવને લીધે શરીરમાં થાય છે. જેને મનોદૈહિક રોગો કહે છે. તણાવથી રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે જે વર્તમાન પરિસ્થિતિમાં જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે. તણાવ ઉત્પન્ન કરતાં પરિબળોમાં પરિસ્થિતિ અથવા સંજોગો દરેક વ્યક્તિએ ભિન્ન ભિન્ન હોય છે. કૌટુંબિક તથા અંગત કારણો સમસ્યાઓ, બાળકોની સમસ્યા, વ્યવસાય અને કારકિર્દીને લગતા પરિબળો વગેરે કારણો તણાવની પરિસ્થિતિ પેદા કરવા માટે જવાબદાર હોય છે.

2. લાંબા સમયના તણાવથી નકારાત્મક અસરો લાંબા સમયથી તણાવ અનુભવી રહ્યા હોય તેવા લોકો ઘણી નકારાત્મક અસરો નો ભોગ બને છે. સ્વભાવ ગુસ્સાવાળો તથા ચીડિયો થઈ જવો, કાર્યશક્તિમાં ઘટાડો થવો, યાદશક્તિમાં ઘટાડો, ભૂખ ન લાગવી કે અતિશય ભૂખ લાગવી આ સ્ટ્રેસના ચિન્હો છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

3.ધ્યાન ધ્યાન અનેક રીતે થઈ શકે છે. મંત્ર, જાપ, શ્વાસોશ્વાસ પર ધ્યાન, યોગાસન વગેરે સ્ટ્રેસ દૂર કરવામાં લાભદાયી છે. શારીરિક તથા માનસિક પ્રવૃત્તિ તથા પોતાના આર્થિક વિકાસને લક્ષમાં રાખીને જે અનુકૂળ હોય તે ધ્યાન કરો.

4. પ્રાણાયામ જો તમને પ્રાણાયામ કરવાનું ફાવે તો એ પણ કરી શ્વાસોશ્વાસની કસરત તણાવથી ત્વરિત રાહત આપશે.

5. આહારમાં યોગ્ય ફેરફારો પૌષ્ટિક અને પ્રોટીન યુક્ત ખોરાક ફળફળાદી તથા ખોરાકમાં રેસાવાળા ખોરાકનો વધુ ઉપયોગ કરવો. વિટામિન્સ અને એન્ટી ઓક્સિડેન્ટ યોગ્ય પ્રમાણમાં લેવાથી તણાવથી દૂર રહી શકાય છે.

6. ડોક્ટરની મદદ જો આપને એવું લાગી રહ્યું હોય કે તમે તણાવ અનુભવી રહ્યા છો અને કોઈની મદદની જરૂર લાગી રહી હોય તો વગર વિલંબે સાથે આપની માનસિક પરિસ્થિતિ વિશે ચર્ચા કરો.

7.યોગ્ય ઉપાયોથી રહીએ તાણમુક્ત વર્તમાન પરિસ્થિતિ તણાવ માટેનું મુખ્ય કારણ છે. આ તબક્કે કેટલાક ઉપાયથી તણાવ દૂર કરી શકાશે. બાગ કામ પોઝિટિવ ઊર્જા આપશે. ખુલ્લી હવા અને પ્રકૃતિ સાથે થોડો સમય વિતાવો. મનગમતું સંગીત સાંભળવાથી મન પ્રફુલ્લિત રહેશે. મિત્ર સાથે ફોન પર જૂની આનંદદાયક સ્મૃતિ યાદ કરવી. મુશ્કેલી વિષે ન વિચારતા ઉપાય અંગે વિચારો સ્થિતિનો સ્વસ્થતાથી સામનો કરો.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">