આ સમાચાર વાંચ્યા પછી તમને રેસ્ટોરન્ટમાં હાથથી જમવામાં સહેજ પણ શરમ નહિં આવે
આજકાલ મોટાભાગના લોકો ચમચીથી જ ભોજન જમે છે. ખાસ કરીને જ્યારે તેઓ બહાર કોઈ રેસ્ટોરન્ટ હોટલમાં જમવા ગયા હોય ત્યારે. જો તમને પણ આવામાં કોઈપણ સમયે હાથથી ખાવામાં શરમ આવે છે, તો તમને જણાવી દઈએ કે હાથથી ખાવાથી તમને ઘણા બધા ફાયદા મળશે. આવો જાણીએ તેના વિશે. ચમચીથી ખાવાની જગ્યાએ જો આપણે હાથથી ભોજન જમીએ […]
આજકાલ મોટાભાગના લોકો ચમચીથી જ ભોજન જમે છે. ખાસ કરીને જ્યારે તેઓ બહાર કોઈ રેસ્ટોરન્ટ હોટલમાં જમવા ગયા હોય ત્યારે. જો તમને પણ આવામાં કોઈપણ સમયે હાથથી ખાવામાં શરમ આવે છે, તો તમને જણાવી દઈએ કે હાથથી ખાવાથી તમને ઘણા બધા ફાયદા મળશે. આવો જાણીએ તેના વિશે.
ચમચીથી ખાવાની જગ્યાએ જો આપણે હાથથી ભોજન જમીએ છીએ, તો મોઢું નથી દાઝતું, કારણકે ચમચીના તાપમાન ખાવા સમયે બદલાય છે અને આપણને તેની ખબર નથી પડતી. જ્યારે હાથથી ખાવાથી આપણને તાપમાન નો આભાસ થઈ જાય છે.
જ્યારે આપણે હાથથી ભોજન જમીએ છીએ, ત્યારે આંગળી અને હાથના અંગૂઠા એક સાથે મળવાથી મુદ્રા બને છે. તેના કારણે શરીરમાં વિશેષ રૂપથી ઉર્જા પેદા થાય છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
હાથથી ખાતી વખતે આપણે હાથ ધોવા પર વિશેષ ધ્યાન આપીએ છીએ. જ્યારે ચમચીથી ખાતી વખતે આપણે રાખેલી ચમચીનો ઉપયોગ કરીએ છે. જેમાં જીવાણુઓના ઉપસ્થિતિની સંભાવના સૌથી વધારે હોય છે.
જ્યારે આપણે હાથથી જમીએ છીએ ત્યારે આપણા શરીરમાં પંચતત્વો નું સંતુલન યોગ્ય હોય છે, જ્યારે ચમચીથી ખાવાથી આપણને તે લાભ મળતો નથી.
હાથથી ભોજન જમવું સ્પર્શ ચિકિત્સા જેવું છે. તેમાં આપણા હાથ, મોઢું, પેટ અને દિમાગ માં એકરીતે સંકલન બને છે. શરીરના આંતરિક સંકેતોના માધ્યમથી જ ભોજન પચે છે, જેથી તે સુપોષિત થાય છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો