World Theatre Day 2021: વિશ્વ રંગભૂમિ દિવસે ભવાઈ મંડળીની સરકાર પાસે સહાય માટે ગુહાર

27 March World Theatre Day  2021: આજે 27 માર્ચ એટલે વિશ્વ રંગભૂમિ દિવસ પરંતુ ધીમે ધીમે કલાના ક્ષેત્રમાંથી રંગભૂમિની રોનક અને ભવાઈના ભૂંગળ સહિતની કલા નેસ્ત નાબુદ થઈ રહી છે. ભૂલાઈ રહેલી ભવાઈથી ગુજરાતના અનેક અદના કલાકારોને રોજીરોટીના ફાંફા છે.

World Theatre Day 2021: વિશ્વ રંગભૂમિ દિવસે ભવાઈ મંડળીની સરકાર પાસે સહાય માટે ગુહાર
World Theater Day
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Mar 27, 2021 | 7:11 PM

27 March World Theatre Day  2021: આજે 27 માર્ચ એટલે વિશ્વ રંગભૂમિ દિવસ પરંતુ ધીમે ધીમે કલાના ક્ષેત્રમાંથી રંગભૂમિની રોનક અને ભવાઈના ભૂંગળ સહિતની કલા નેસ્ત નાબુદ થઈ રહી છે. ભૂલાઈ રહેલી ભવાઈથી ગુજરાતના અનેક અદના કલાકારોને રોજીરોટીના ફાંફા છે. ત્યારે વિસરાઈ રહેલી ભવાઈની ભવ્ય વિરાસતને બચાવવા માટે ઝાલાવાડના કલાકારો પરસેવો પાડી રહ્યા છે. આજે વિશ્વ રંગભૂમિ દિવસ ભવાઈ લોકકલા લુપ્ત થવાના આરે છે અને ડીજિટલ યુગમાં જુની કલા લુપ્ત થતી જાય છે અને જુની ભવાઈ મંડળીઓને જીવંત દાન મળે અને કલા સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે સરકાર ભવાઈ મંડળીઓને સરકારી કાર્યક્રમ આપીને કે સહાય આપે તેવી ભવાઈ મંડળીઓની માંગ છે.

World Theater Day 2021

ભવાઇ ભજવતા કલાકારો (ફાઇલ ફોટો)

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

શું કહે છે કલાકારો? બે રુપિયામાં કોઈની બાયડી બની નાચવુ પડે એ અમારી મજબુરી છે. નહીંતર આ ધંધામાં હવે પેલા જેવી મજા નથી. પહેલા અમારી ભવાઈ અને ભવૈયાની પ્રતિષ્ઠા હતી. ગામલોકો સામેથી ભવાઈ ભજવવા બોલાવતા, પ્રેમથી રાખતા,જમાડતા પણ હવે જમાનો બદલાયો છે. ટી.વી, સિનેમા અને ઈન્ટરનેટ આવતા ભવાઈ સાવ ભુલાતી જાય છે. હવે કોઈને ભવાઈ જોવી ગમતી નથી.

વિવિધ લોકનાટ્યના પ્રકારો: હાલ આધુનિક યુગ ઈન્ટરનેટના પ્રતાપે દુનિયા આંગળીના ટેરવામાં સમાઈ ગઈ છે. મનોરંજન હાથવગુ બની ગયુ છે. પરંતુ એક એવો સમય હતો કે મનોરંજન માટે ભવાઈ એક જ માધ્યમ હતુ. આપણા દેશમાં દરેક પ્રાંતમાં પોતાના લોકનૃત્ય અને લોકનાટ્યના વિશિષ્ટ તળપદા પ્રકારો જોવા મળે છે. આંધ્રપ્રદેશમાં પક્ષગાન,મહારાષ્ટ્રમાં તમાશા, બંગાળ અને બિહારમાં જાતરા, હરિયાણા અને પંજાબમાં સ્વાંગ, ઉતરપ્રદેશમાં નૌટંકી,તમિલનાડુમાં તેરુકુટુ,મધ્ય ભારતમાં માચ અને ગુજરાતમાં ભવાઈ.

World Theater Day

ગામડામાં ભવાઇ ભજવતા કલાકારો (ફાઇલ ફોટો)

ઈતિહાસ: ભવાઈનો ઈતિહાસ ખુબ જ જુનો છે. ભવાઈની વાત આવે એટલે તેના રચયિતા અસાઈત ઠાકર યાદ આવે. ભવાઈનો વેશ રચનાર અસાઈત ઠાકર 14મી સદીમાં થઈ ગયા. તેમને રીવાજ અને લોકજાગૃતિ માટે 360 વેશો રચ્યા હતા. જેમાં પુરબીયો,કાનગોપી, જુઠણ, લાલબટાઉ,જોગી જોગણ, જસમા ઓડણ,વણઝારાનો વેશ, મણીયારોના વેશો જાણીતા છે.

મોહનદાસને મહાત્મા બનાવવામાં ભવાઈનો ફાળો: ભવાઈમાં બધા પાત્રો પુરુષો દ્વારા જ ભજવાય છે. સ્ત્રીનું પાત્ર પણ પુરુષ જ ભજવે છે. ભવાઈનું પાત્ર ભજવનારને કયારેય માઈકની જરુર પડતી નથી. બુલંદ અવાજે તેઓ ભવાઈ ભજવતા. ગામમાં ભૂંગળનો અવાજ સાંભળીને ગામ લોકો ભવાઈ જોવા ભેગા થઈ જતા. ભવાઈમાં ભૂંગળ, તબલા, વાજા પેટી અને ઝાંઝનો જ તાલ લેવાતો. ભવાઈ એ તો ગુજરાતી રંગભૂમિ અને નાટકોની ગંગોત્રી છે. જ્યારે આધુનિક યુગ નહોતો, ત્યારે મનોરંજનની સાથે સાથે લોકશિક્ષણનું પણ કાર્ય કર્યુ છે.

મોહનદાસને મહાત્મા બનાવવામાં ભવાઈનો ફાળો રહેલો છે. મહાત્મા ગાંધી સત્યના પ્રયોગોમાં લખે છે કે મને સત્ય બોલવાની પ્રેરણા રાજા હરિશ્ચંદ્રના નાટક જોઈને મળી હતી. ભવાઈએ નાટકો અને રંગભૂમિને સારા કાલાકારો પુરા પાડ્યા છે. ત્યારે વિસરાતી જતી આવી કળાને બચાવવા ભવાઈ મંડળના કલાકારો મથામણ કરી રહ્યા છે.

મહાકાળી ભવાઈ મંડળ બાળા (નળીયા)ના કલાકારો કનુભાઈ,મનહરભાઈ,જીતુભાઈ,વસંતભાઈ,ભરતભાઈ,ખોડુભાઈ વગેરે જુના સંસ્મરણો વાગોળતા કહે છે કે પહેલા અમે જ્યારે ભવાઈ ભજવવા ગામડાઓમાં જતા ત્યારે અમારુ ઢોલ નગારા લઈને સ્વાગત કરતા હતા અને અત્યારે!વિચરતા સમુદાય સમર્થન મંચ અને સુરેન્દ્રનગર જીલ્લા ભવૈયા સમાજ સંગઠનના આગેવાન હર્ષદ કે.વ્યાસ જણાવે છે કે વિચરતા સમુદાય સમર્થન મંચ અને ઘણી બધી સંસ્થાઓના પ્રયત્નોથી મોરારીબાપુની રામકથામાં,દિલ્હી ઓલિમ્પિક થિયેટરમાં,સોમનાથ અનુરાધાબેન પૌડવાલની હાજરીમાં, MTV માં,દુરદર્શન અને વિદેશમાં પણ ભવાઈ ભજવવાનો મોકો મળ્યો છે.

પરંતુ સરકારને પણ લુપ્ત થતી જતી ભવાઈને બચાવવા પ્રયત્નો કરવા જોઈએ. સરકારની યોજનાઓ જેવી કે સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ, નશાબંધી, સાક્ષરતા અભિયાન, દહેજ નાબુદી, અંધશ્રદ્ધા નિવારણ, મતદાન જાગૃતિ, કોરોના જાગૃતિ જેવી યોજનાના પ્રચાર અને પ્રસારમાં ભવાઈના માધ્યમથી સંદેશો પહોચાડવામાં આવે તો ભવાઈ કલાકારો અને ભવાઈના ભૂંગળ બચી શકે છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">