શ્રમિકોની વાપસી સાથે જ સુરતમાં વધ્યા કોરોનાના કેસ, છેલ્લા 12 દિવસમાં 3 હજાર કેસ વધ્યા
સુરત શહેરમાં છેલ્લા 12 જ દિવસમાં કોરોનાના 3 હજાર કેસ વધ્યા છે. કોરોનાના કેસ વધવા માટે લોકો માસ્ક ધારણ ના કરતા હોવાનું તેમજ વતનથી પરત ફરી રહેલા શ્રમિકોને હાલ તો જવાબદાર માનવામાં આવે છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના પગલા લેવાઈ રહ્યાં છે. પરંતુ પ્રજાજનો દ્વારા પુરતો સહકાર મળતો […]
સુરત શહેરમાં છેલ્લા 12 જ દિવસમાં કોરોનાના 3 હજાર કેસ વધ્યા છે. કોરોનાના કેસ વધવા માટે લોકો માસ્ક ધારણ ના કરતા હોવાનું તેમજ વતનથી પરત ફરી રહેલા શ્રમિકોને હાલ તો જવાબદાર માનવામાં આવે છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના પગલા લેવાઈ રહ્યાં છે. પરંતુ પ્રજાજનો દ્વારા પુરતો સહકાર મળતો ના હોવાથી દિન પ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે.
છેલ્લા 12 દિવસમાં જ પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં અધધ 3 હજાર જેટલો વધારો થયો છે. આંકડા પ્રમાણે જોવા જઈએ તો.
27 ઓગષ્ટે 20,055 દર્દીઓ હતા.
1 સપ્ટેમ્બરે 21215 દર્દીઓ નોંધાયા.
5 સપ્ટેમ્બરે 22310 દર્દીઓ વધ્યા.
8 સપ્ટેમ્બરે 23,113 દર્દીઓ નોંધાયા.
હાલ સૌથી વધારે કેસો અઠવા વિસ્તારમાં છે. જ્યાં શિક્ષિત વર્ગ હોવા છતાં માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. કોરોનાની મારક શક્તિ ભલે ઘટી હોય પણ સાવચેતી રાખવાની તેટલી જ જરૂરી છે. સુરતમાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા 2402 છે. જ્યારે શહેર જિલ્લા મળીને કુલ 851 દર્દીઓનું કોરોનામાં મોત થયું છે. સુરતમાં રિકવરી રેટ 87.5 % થયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો