આરતીના સમયે શા માટે ઘંટી કે ઘંટ વગાડવામાં આવે છે, શું છે આનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ !

શાસ્ત્રોમાં ઘંટ કે ઘંટી વગાડવાનો અર્થ ભગવાન સમક્ષ હાજરી આપવાનો છે. આ સિવાય, ઘંટી કે ઘંટ વગાડવા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે જે આપણે બધાએ જાણવું જોઈએ.

આરતીના સમયે શા માટે ઘંટી કે ઘંટ વગાડવામાં આવે છે, શું છે આનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ !
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: Feb 12, 2021 | 5:09 PM

સનાતન ધર્મમાં આરતી દરમિયાન ઘંટ કે ઘંટી વગાડવાની પ્રથા છે. એટલું જ નહીં, જ્યારે પણ આપણે કોઈ મંદિરે જઈએ છીએ, ત્યારે આપણે વિવિધ પ્રકારના ઘંટ અને ઘંટીઓ જોવા મળે છે. જેને લોકો મંદિર માં પ્રવેશ દરમિયાન અને આરતીના સમયે વગાડે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે કરવામાં આવે છે ? ચાલો તેના ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ વિશે જાણીએ.

પુરાણોમાં એવું કહેવામાં આવ્યું છે કે જે સમયે બ્રહ્માંડની રચના કરવામાં આવી હતી, તે સમયે ધ્વનિનો પડઘો સંભળાયો હતો. ઘંટ તે અવાજનું પ્રતીક માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન સામે ભક્તો ઘંટ કે ઘંટી વગાડીને પોતાની હાજરી દર્શાવે છે.

શરીરના ચક્રો સક્રિય થાય છે

એવું માનવામાં આવે છે કે આનાથી ભગવાનની મૂર્તિમાં ચેતના આવે છે. આ સિવાય ત્યાં હાજર લોકોમાં ભક્તિભાવ સ્વૈછિક ઉતપન્ન થવા લાગે છે. ભગવાન તમારી પ્રાર્થના અને તમારી ભોગ સ્વીકારે છે. જ્યોતિષ શાસ્ત્રનું માનીએ તો , ઘંટ કે ઘંટીની ગુંજ આપણા શરીરના સાત ચક્રોને થોડા સમય માટે સક્રિય કરે છે, તેનાથી નકારાત્મક વિચારો દૂર થાય છે અને શરીરને સકારાત્મક ઊર્જાથી શક્તિ મળે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

વાતાવરણ શુદ્ધ થાય

ઘંટી કે ઘંટ વાગવાથી વાતાવરણમાં કંપન થાય છે. આ સ્પંદન દૂર-દૂર સુધી પહોંચે છે. આને કારણે, તે વિસ્તારના વાયરસ, બેક્ટેરિયા અને સુક્ષ્મજીવો નાશ પામે છે. આ ત્યાંનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બને છે અને સાથે નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. ઘંટ કે ઘંટી વગાડવાથી તમારા મન અને મગજમાં પણ વિશેષ પ્રભાવ પડે છે. ઘંટનો અવાજ મગજના જમણા અને ડાબા ભાગોને સંતુલિત કરે છે. તમારા મગજમાં તણાવ દૂર કરે છે અને એકાગ્રતા વધારે છે.

જાણો કેટલા પ્રકારના હોય છે ઘંટ (ઘંટી)

1. ઘરમાં વગાડવામાં આવતી નાની ઘંટી જેને હાથમાં લઈને વગાડવાની હોય છે, તે ગરુડ ઘંટી કહેવામાં આવે છે.

2. ઘંટનું મોટું સ્વરૂપ જેને વગાડવાથી દૂર દૂર સુધી અવાજ પહોંચે છે, જેને ઘંટ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ મંદિરોમાં જોવા મળે છે.

3. પિત્તળની એક ગોળ પ્લેટ જેને લાકડા અથવા નાના હથોડાથી મારવામાં આવે છે તેને હાથ ઘંટી કહેવામાં આવે છે. તે ઘણીવાર કથા વગેરેમાં વપરાય છે.

4. મંદિરના પ્રવેશ દ્વાર પર લટકતી ઘંટી જે નાની અને મોટી આકારની હોય છે, જેને દ્વાર ઘંટ કે ઘંટી કહેવામાં આવે છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">