ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કેમ આપ્યું રાજીનામું ? રાજીનામાનું કારણ શું ?
દક્ષિણ ગુજરાતની ભરૂચ બેઠક પર પાછલી પાંચ ટર્મથી સાંસદ પદે ચૂંટાતા વરિષ્ઠ નેતા મનસુખ વસાવાએ રાજીનામુ ધરી દીધું. મનસુખ વસાવાએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રાજીનામાનો પત્ર મોકલ્યો. જેમાં સંસદના આગામી બજેટ સત્રમાં રાજીનામું આપવાની વાત કરી. મનસુખ વસાવાએ પત્રમાં લખ્યું કે લાંબા સમયથી વફાદારીપૂર્વક કામ કર્યું છતાં કેટલીક ભૂલ થઈ છે. જેથી પક્ષને નુકસાન […]
દક્ષિણ ગુજરાતની ભરૂચ બેઠક પર પાછલી પાંચ ટર્મથી સાંસદ પદે ચૂંટાતા વરિષ્ઠ નેતા મનસુખ વસાવાએ રાજીનામુ ધરી દીધું. મનસુખ વસાવાએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રાજીનામાનો પત્ર મોકલ્યો. જેમાં સંસદના આગામી બજેટ સત્રમાં રાજીનામું આપવાની વાત કરી. મનસુખ વસાવાએ પત્રમાં લખ્યું કે લાંબા સમયથી વફાદારીપૂર્વક કામ કર્યું છતાં કેટલીક ભૂલ થઈ છે. જેથી પક્ષને નુકસાન ન પહોંચે તે માટે રાજીનામું સોંપુ છે. મનસુખ વસાવાએ નાદુરસ્ત તબિયતને લઈ રાજીનામા પર મક્કમ હોવાનું નિવેદન આપ્યું. આ સાથે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પક્ષ અને વિચારધારા માટે કામ કરતા રહેવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી.
મનસુખ વસાવાના રાજીનામા મુદ્દે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સ્પષ્ટતા કરી. સી.આર. પાટીલે ક્હ્યું કે વરિષ્ઠ નેતા મનસુખ વસાવા રાજ્ય અને કેન્દ્ર સરકારમાં પ્રધાન રહી ચુક્યા છે. વરિષ્ઠ નેતા મનસુખ વસાવા ઈકો સેન્સેટિવ ઝોનની કેટલીક જમીનોની એન્ટ્રી મુદ્દે નારાજ હતા. જો કે સમસ્યાનું નિરાકરણ ટૂંક જ સમયમાં આવી જવાનો સી.આર.પાટીલે આશાવાદ વ્યક્ત કર્યો.