જાણો શા માટે બોપલના રહિશોએ રેલી કાઢીને આપી ચૂંટણીમાં મતદાનના બહિષ્કારની ચિમકી?
અમદાવાદના બોપલના રહીશો રાજ્ય સરકારથી નારાજ છે, તેઓ ધરણાં અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમની નારાજગી કોઇ સુવિધા લેવા માટે નહી પણ તેમના જ વિસ્તારમાં બની રહેલા પ્રધાન મંત્રી આવાસ યોજનાને લઈને છે. TV9 Gujarati ગાર્ડનની જગ્યાઓ આવાસ યોજના બનાવ્યાની ફરિયાદ Web Stories View more Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા […]
અમદાવાદના બોપલના રહીશો રાજ્ય સરકારથી નારાજ છે, તેઓ ધરણાં અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમની નારાજગી કોઇ સુવિધા લેવા માટે નહી પણ તેમના જ વિસ્તારમાં બની રહેલા પ્રધાન મંત્રી આવાસ યોજનાને લઈને છે.
ગાર્ડનની જગ્યાઓ આવાસ યોજના બનાવ્યાની ફરિયાદ
બોપલના સ્ટર્લીંગ સોસાયટીના રહીશો છેલ્લાં એક મહિનાથી પરેશાન છે. તેમની પરેશાનીનું કારણ એ છે કે અહીં રાજ્ય સરકાર તરફથી પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ સ્કીમ કરવા માટે કામગીરી શરુ કરાઇ છે, સ્થાનિક વિનોદ પટેલની ફરિયાદ છે કે થોડા સમય પહેલા સુધી આ જગ્યા ઉપર સાર્વજનિક ગાર્ડન બનાવવાની વાત હતી પણ હવે ઇલેક્શન જાહેર થવાના થોડા દિવસ પહેલા જ અચાનક સ્કીમમાં ફેરફાર કરાયો અને પ્રધાન મંત્રી આવાસ યોજનાનુ પાટીયુ મારીને કામ શરુ કરી દેવાયુ, જે યોગ્ય નથી. તેઓએ ચિમકી પણ આપી કે જો આવુ જ રહ્યું તો કે ચૂંટણી દરમિયાન ભાજપનો વિરોધ થઇ શકે છે.
તો ચુંટણીનો થશે બહિષ્કાર
સ્થાનિક રહીશ હર્ષદ લાખાણીનું માનીએ કે આ વિસ્તારમાં પહેલા જ ગટર પાણી સહિતની સ્થાનિક સમસ્યાઓએ માજા મુકી છે, તેવી સ્થિતિમાં હવે વધારાના વસાહત આવે તો સ્થાનિકોને કોઇ વિરોધ નથી પણ પછી સ્થાનિક તંત્ર પ્રાથમિક સુવિધામા ઉણુ ઉતરશે તેથી અહી પહેલાથી જ વસવાટ કરતા લોકોની સ્થિતિ બદથી બદતર થઇ શકે છે. જેના પગલે આ વિરોધ કરાયો છે, સ્થાનિકોઓ બેનર અને થાલી વેલણ વગાડીને વિરોધ કર્યો છે અને જો તંત્ર મતદાન પહેલા તેમની માંગણી નહી સ્વીકારે તો મતદાનનો બહિષ્કાર કરીને પણ વિરોધ પ્રદર્શન કરવાની ચિમકી આપવામાં આવી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]