CAA મુદે કચ્છમાં લાગેલાં અમુક પોસ્ટરથી થયો વિવાદ, જાણો ભાજપે શું કહ્યું?
CAAના વિરોધમાં ભારત બંધનું એલાન થયું હતુ. આ દરમિયાન કચ્છમાં કેટલીક વાયરલ પોસ્ટના કારણે વિવાદ શરૂ થયો છે. 20 જાન્યુઆરીના રોજ કચ્છના કેટલાક વિસ્તારોમાં પોસ્ટર લાગ્યા હતા. આ પોસ્ટર ઉલ્લેખ કર્યો હતો કે, દેશ વિરોધી પ્રવૃતિઓ કરનારે અહીંયા વાહનો પાર્ક કરવા નહીં. એટલું જ નહિં લખતર તાલુકાના નવાગામનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં […]
CAAના વિરોધમાં ભારત બંધનું એલાન થયું હતુ. આ દરમિયાન કચ્છમાં કેટલીક વાયરલ પોસ્ટના કારણે વિવાદ શરૂ થયો છે. 20 જાન્યુઆરીના રોજ કચ્છના કેટલાક વિસ્તારોમાં પોસ્ટર લાગ્યા હતા. આ પોસ્ટર ઉલ્લેખ કર્યો હતો કે, દેશ વિરોધી પ્રવૃતિઓ કરનારે અહીંયા વાહનો પાર્ક કરવા નહીં. એટલું જ નહિં લખતર તાલુકાના નવાગામનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં કેટલાક યુવકો કોઇ એક ખાસ ધર્મના વ્યક્તિને ગામમાં પ્રવેશતા રોક છે. આ યુવકો ભાજપના કાર્યકરો હોય તેવો દાવો કર્યો છે. સમગ્ર વિવાદમાં કોંગ્રેસ અને મુસ્લિમ સમાજે આક્ષેપ કર્યો છે કે, ભાજપ હાથે કરીને માહોલ ખરાબ કરવા માગે છે. જ્યારે ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી વિવાદનો ટોપલો કોંગ્રેસ પર ઢોળી દીધો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો