કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. ડૉ. અનિલ જોશીયારાના પુત્ર 500થી વધુ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

ભીલોડા બેઠક ઉપર દિવંગત નેતા અનિલ જોષીયારાનો દબદબો રહ્યો છે. અને છેલ્લા પાંચ ટર્મથી તેઓ કોંગ્રેસમાંથી જીતતા આવ્યાં છે. ત્યારે જો અનિલ જોષીયારાના દીકરા કેવલ જોશીયારાના ભાજપમાં આવવાથી ભાજપને ફાયદો થઇ શકે છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. ડૉ. અનિલ જોશીયારાના પુત્ર 500થી વધુ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા
Dr. Anil Joshiara's son joined BJP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2022 | 5:07 PM

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા ભાજપ (BJP) એ આદિવાસી પટ્ટામાં કોંગ્રેસ (Congress) એ ગાબડુ પડ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. ડૉ. અનિલ જોશીયારાના પુત્ર 500થી વધુ સમર્થકો ભાજપમાં જોડાયા છે. કેવલ જોશીયારાને આવકારવા સીઆર પાટીલ ભિલોડા પહોંચ્યા છે. તેમણે કેવલ જોશીયારાને ભાજપનો ખેસ પહેરાવી વિધિવત રીકે ભાજપમાં પ્રવેશ કરાવ્યો છે. કેવલ જોશીયારાના પિતા ભિલોડા બેઠક પર પાંચ વખત વિજેતા રહ્યા હતા. રાજ્ય સરકારમાં કેબિનેટ આરોગ્ય પ્રધાન રહી ચૂક્યા હતા.

મહત્વનું છે કે ભીલોડા અરવલ્લી અને આદિવાસી પૂર્વ પટ્ટાની મહત્વની બેઠક ગણાય છે. અરવલ્લી જિલ્લાની ત્રણેય બેઠક હાલ કોંગ્રેસ પાસે છે. ભીલોડાને અડીને આવેલી ખેડબ્રહ્મા બેઠક પણ કોંગ્રેસ પાસે છે. ભીલોડા બેઠક ઉપર દિવંગત નેતા અનિલ જોષીયારાનો દબદબો રહ્યો છે. અને છેલ્લા પાંચ ટર્મથી તેઓ કોંગ્રેસમાંથી જીતતા આવ્યાં છે. ત્યારે જો અનિલ જોષીયારાના દીકરા કેવલ જોશીયારાના ભાજપમાં આવવાથી ભાજપને ફાયદો થઇ શકે છે.

કેવલ જોષીયારાના ભાજપ પ્રવેશ અંગે ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય સુખરામ રાઠવાએ કહ્યું કે રાજકારણમાં કોને ક્યાં રહેવું એ એનો હક છે. જોષીયારા સાહેબ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. અમે ઇચ્છતા હતા કે જોષીયારા પરિવાર કોંગ્રેસ સાથે રહે, પણ તેમણે ભાજપ પસંદ કર્યું છે ત્યારે ત્યાં અન્યને તક મળશે. અમે ભિલોડા અને ખેડબ્રહ્મા બેઠક કબજે કરીશું. પૂર્વ પટ્ટીની તમામ બેઠકો કોંગ્રેસ જીતશે. ખેડબ્રહ્મામાં આદિવાસી સંમેલન યોજી કોટવાલને જવાબ આપીશું. પૂર્વ પટ્ટીમાં ભાજપની જમીન જ નથી. પહેલા ભાજપ કોંગ્રેસના કચરાની જરૂર નથી એમ કહેતું હતું. ભાજપ હાર ભારી ગઈ હોવાથી કોઈપણ ભોગે કોંગ્રેસીજનોને લઇ જવા માંગે છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">