VALSAD : ઉંમરગામના નારગોલ ગામના દરિયાકિનારે વિશ્વના સૌથી મોટા વનનું નિર્માણ કાર્ય કરાશે

VALSAD : ઉમરગામનાં નારગોલ ગામે દરિયા કિનારે માલવણ બીચને અડીને આવેલી સરકારી જમીન ઉપર વિશ્વનું સૌથી મોટું વનનું નિર્માણ કરાશે.

VALSAD : ઉંમરગામના નારગોલ ગામના દરિયાકિનારે વિશ્વના સૌથી મોટા વનનું નિર્માણ કાર્ય કરાશે
નારગોલ દરિયાકિનારો
Follow Us:
| Updated on: Mar 23, 2021 | 1:04 PM

VALSAD : ઉમરગામનાં નારગોલ ગામે દરિયા કિનારે માલવણ બીચને અડીને આવેલી સરકારી જમીન ઉપર વિશ્વનું સૌથી મોટું વનનું નિર્માણ કરાશે. વિશ્વ વન દિન નિમિત્તે વલસાડ સામાજિક વનીકરણ વિભાગ, એન્વાયરો ક્રિએટર્સ ફાઉન્ડેશન દ્વારા CSR પ્રોજેક્ટ અંતર્ગત ગોદરેજ પ્રોપર્ટી અને નારગોલ ગ્રામ પંચાયતના સંયુક્ત સહયોગથી આ કાર્ય કરાશે.

આ અન્વયે બાયો ડાર્યવસિટિ પ્રોજેક્ટમાં FOREST BY THE SEA નામનું વિશ્વનું સૌથી મોટું વનનું નિર્માણ કાર્ય કરાશે. નારગોલમાં દરિયાઇ જીવ સૃષ્ટિને બચાવવા તથા જમીનનું ધોવાણ અટકાવવા માટેના આ પ્રોજેક્ટનો રવિવારે શુભારંભ થયો હતો.

આ પ્રોજેક્ટમાં 1 લાખ 20 હજાર વૃક્ષો ધરાવતું અને જાપાનની મિયાવિકિ પદ્ધતિથી વન નિર્માણ કરાશે. જેનું લોકાર્પણ રાજ્યના વનમંત્રી રમણ પાટકરના વરદ હસ્તે રવિવારે સવારે સોનેરી ખાડી, માલવણ બીચ ખાતે કરાયું હતું.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

આ અવસરે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નારગોલ ગામના સરપંચ કાંતિભાઇ કોટવાલ, નારગોલ ગામના ઉપસરપંચ સ્વીટીબેન ભંડારી, જયપ્રકાશભાઇ ભંડારી, જયેશભાઇ બારી, તાલુકા પંચાયતના સભ્ય દક્ષાબેન ધોડી, જિલ્લા પંચાયતના સભ્ય મુકેશભાઇ પટેલ અને ભરતભાઇ જાદવ, તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઇ ધાંગડા, સરપંચ સંઘના પ્રમુખ નરોત્તમભાઇ પટેલ, વલસાડ સામાજીક વનીકરણના એસીએફ જિનલબેન ભટ્ટ, ઇન્ચાર્જ ફોરેસ્ટર કલ્પેશભાઇ માળી સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા.

સાડા 7 એકર જમીનમાં બનનારા જંગલમાં વૃક્ષોના વાવેતર બાદ 3 કિલોમીટર સુધી ડ્રીપ ઇરિગેશનની સુવિધા ઊભી કરાશે. આ નિમિતે ભંડારી સમાજ હોલમાં કાલય ખાતે નિર્માણ પામેલા પુલવામા શહિદ વન માટે સહયોગ આપનારી ચાર અલગઅલગ કંપનીઓને એવાર્ડ વિતરણ પણ કરવામાં આવ્યા હતા.

આ વનના નિર્માણ કાર્યથી અનેક વિદેશી પક્ષીઓ આ વનમાં આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નારગોલના માલવણ બીચને અડીને નિર્માણ પામનાર આ વન વિદેશી પક્ષીઓ ખાસ કરીને કિંગ ફિશર કપલ તેમજ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. કાદવ કીચડ, કાંટાળી ઝાડી ઝાંખરાવાળી પડતર ખારલેન્ડ જમીનને ઉપયોગ કરી નવું સ્વરૂપ આપી વન સાથે બીચ ડિવેલપ કાર્ય શરૂ કરતાં તેમજ દુનિયાનું સૌથી મોટું મિયાવિકી ફોરેસ્ટ નિર્માણ થવા જઇ રહ્યું છે.

હાલ જયારે વિશ્વમાં જંગલોનો નાશ થઇ રહ્યો છે. ત્યારે આ વનનું નિર્માણ કાર્ય સરાહનીય કહી શકાય. સાથે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને લઇને પણ વનનું નિર્માણ કાર્ય ફાયદાકારક બની રહેશે.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">