Valsad : કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી, કેરીના પાક પર અસર થઇ
વલસાડ (Valsad) જિલ્લામાં મોસમ ધરતીપુત્રો ઉપર નારાજ હોય એમ લાગી રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી વાતાવરણમાં થઇ રહેલા ફેરફારને કારણે ખેતીમાં નુકસાન થઇ રહ્યું છે.
છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં (unseasonal rains)પલટો આવ્યો છે. અને વાદળ છવાયા વાતાવરણ વચ્ચે આજે વલસાડ (Valsad) જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોની(Farmers) ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને કેરીના પાક ઉપર અસર થઇ છે. તો ફરીવાર ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
વલસાડ જિલ્લામાં મોસમ ધરતીપુત્રો ઉપર નારાજ હોય એમ લાગી રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી વાતાવરણમાં થઇ રહેલા ફેરફારને કારણે ખેતીમાં નુકસાન થઇ રહ્યું છે. અને તેમાં પણ ખાસ કરીને કેરીની સીઝન દરમિયાન વાતાવરણમાં સતત ફેરફાર આવતા ફળોનો રાજા કેરીનો પાક પણ બગડી રહ્યો હોવાથી જગતના તાત ઉપર મુશ્કેલી ઉભી થઇ રહી છે. ત્યારે આજે ફરી વાર વરસાદે ખેડૂતોને રડાવ્યા છે. છેલ્લા 2 દિવસથી વાદળ છવાયું વાતાવરણ હતું અને તેમાં પણ આજે વરસાદ પડતા ઝાડ ઉપર લાગેલા કેરીના પાકને અસર થઇ છે.
આમ તો શરૂઆતમાં કેરી અને તેમાં પણ આફૂસ અનુકૂળ વાતાવરણ હોવાથી ખેડૂતો ગેલમાં આવી ગયા હતા.મોટાભાગના કેરીના ઝાડ ઉપર મોરના ઝૂમકે ઝૂમકા લટકતા હતા અને કેરીનો પાક મોટા પ્રમાણમાં ઉતરશે એવી ખેડૂતો રાહ માંડીને બેઠા હતા. જોકે બાદમાં ડિસેમ્બર માસથી વાતાવરણમાં પલટો આવતા કેરીનો પાક બગડવાની શરૂઆત થઇ હતી.ધીમે ધીમે કેરીનો મોર ખરતો ગયો અને ખેડૂતોની આશા ઉપર પાણી ફરતું ગયું. જેમાં લગભગ 70 ટકા જેટલો પાક બગડી ચૂક્યો હતો. તો હવે ફરીવાર 2 દિવસથી વાતાવરણમાં પલટા અને આજે પડેલા વરસાદે બચેલો પાકને પણ ખતરામાં મૂકી દીધો છે.આથી હવે ખેડૂતો સરકાર પાસે મદદની આશા બાંધીને બેઠા છે.
કેરી જેટલી મીઠી લાગે છે એટલી જ મહેનત પણ માંગે છે.કેરીની ખેતી કરતા ખેડૂતોએ પાક સારો ઉતરેએ માટે ભારે પરસેવા પાડવા પડે છે. જોકે કેરી એકદમ સંવેદનશીલ પાક છે કેમકે થોડી પણ અસર પાકને બગાડે છે. ત્યારે હવે ખેડૂતો બીજા પાક તરફ વાળવાનો વિચાર કરી રહ્યા છે કેમકે હવે નુકસાન વેઠવાનો ખેડૂતોની સહનશક્તિ પૂર્ણ થઇ ગઈ છે.