VALSAD : હજી પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે કપરાડા, શું છે આ વિસ્તારની સમસ્યા ? વાંચો આ અહેવાલ

નોકરી ધંધા જવા માટે પણ મુશ્કેલી પડે છે તો બાળકો શાળામાં જઈ શકતા નથી. હાલના આ દ્રશ્યો કપરાડા તાલુકાના કરચોંડ ગામના છે.જ્યાં હર ચોમાસામાં કોઝવે ઉપરથી પાણી ફરી વળે છે. અને લોકોએ માથે હાથ દઈને બેસવું પડે છે.

VALSAD : હજી પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે કપરાડા, શું છે આ વિસ્તારની સમસ્યા ? વાંચો આ અહેવાલ
VALSAD: Kaprada is still deprived of basic amenities, what is the problem in this area?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 2:28 PM

ગુજરાતનું ચેરીપુંજી એટલે કપરાડા, પહાડી વિસ્તારમાં આવેલા કપરાડામાં ભરપુર હરિયાળી છે. અને ચોમાસા દરમિયાન તો અહીંના દ્રશ્યો રમણીય દેખાઈ છે. આ દ્રશ્યો જોઇને કોઈ પણ પ્રકૃતિ પ્રેમી અહીંથી જવાનું નામ લેશે નહિ.પરંતુ ચોમાસું અહીના લોકો માટે અનેક સમસ્યા લઈને આવે છે. એક ગામથી બીજા ગામમાં જવાની વાત તો દુર રહી ગઈ, પરંતુ એક ફળીયામાંથી બીજામાં જવું પણ અશક્ય બની જાય છે. જેનું કારણ એ છે કે કપરાડાના મોટા ભાગના કોઝવે પાણીમાં ગરકાઉ થઇ જાય છે અને રસ્તાઓ બંધ થઇ જાય છે.

નોકરી ધંધા જવા માટે પણ મુશ્કેલી પડે છે તો બાળકો શાળામાં જઈ શકતા નથી. હાલના આ દ્રશ્યો કપરાડા તાલુકાના કરચોંડ ગામના છે.જ્યાં હર ચોમાસામાં કોઝવે ઉપરથી પાણી ફરી વળે છે. અને લોકોએ માથે હાથ દઈને બેસવું પડે છે. પાણી ઓછું થવાની રાહ જોવી પડે છે. અને ત્યારબાદજ લોકો નીકળી શકે છે. તેમાં પણ કોઈ બીમાર હોય કે કોઈ મૃત્યુ થયું હોય તો તો ફાંફાજ પડી જાય છે. કેમકે ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે લોકો સ્મશાન યાત્રા કાઢવા મજબુર બની જાય છે.તો બીમાર વ્યક્તિને પણ દવાખાને લઇ જવું હોય તો અહીના રહીશોએ લોખંડના ચણા ચાવવા સમાન બની જાય છે. 2 દિવસ પહેલાજ એક મહિલાનું અવસાન થયું હતું. તેમની અંતિમ યાત્રા ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે કાઢવી પડી હતી.

એવું નથી કે આ સમસ્યા આજની અને માત્ર એકજ ગામની છે.કપરાડા તાલુકામાં આવા ઘણા વિસ્તાર છે કે જ્યાં ના રહીશો ચોમાસા દરમિયાન અટવાઈ રહ્યા છે. જોકે તંત્રને કંઈ પડી નથી. લોકો ઉપર શું વીતે છે એ તો માત્ર તેમનેજ ખબર હશે.તો બીજી બાજુ સરકારી બાબુ માત્ર કામ કરશેનું ગાણું ગઈ રહ્યા છે.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

કરચોંડ જેવા અનેક ગામના લોકો હર વર્ષે આશ લઈને બેસે છે કે આ વર્ષે સરકાર પુલ ઉંચો બનાવશે. આ વર્ષે બનાવશે. પરંતુ સરકારી તંત્ર માત્ર કોણીએ ગોળ ચોંટાડે છે. ત્યારે શું આ સમસ્યાનો નિવેડો આવશે ખરો? શું સરકાર વિકાસના દાવા સાચા કરશે ખરી? કે પછી અહીના રહીશોની હરેક પેઢી એ અંતિમ શ્વાસ સુધી માત્ર રાહજ જોવી પડશે.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">