Valsad: અનરાધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદની સાથે ઉપરવાસમાં પડેલા વરસાદની અસર અહીં જોવા મળી રહી છે. સાથે જ ભરતીને પગલે વરસાદી પાણી દરીયામાં જવાને બદલે ગામમાં આવવા લાગ્યા છે.

Valsad: અનરાધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
Heavy rains in Valsad disrupted public life
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2022 | 6:44 PM

વલસાડ (Valsad) માં વરસી રહેલા અનરાધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધુ છે. શહેરના અનેક વિસ્તારો પાણી (Water) માં ગરકાવ થયા છે. તો જિલ્લાના અનેક તાલુકાઓમાં મેઘો કહેર બનીને વરસ્યો છે. કોસંબામાં મેઘરાજા (Rain) એ કહેર વર્તાવ્યો છે તો ધરમપુરમાં રીતસર આભ ફાટ્યુ અને 4 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો તો આ તરફ પારડીમાં જળબંબાકારની સ્થિતિ છે તો રાજનગર વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરીને ભારે નુકસાન સર્જાયું છે. આ તરફ કાશ્મીરનગરની પણ આવી જ હાલત સર્જાઇ છે. તો જિલ્લાની ઔરંગા અને વાકી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. પૂરની સ્થિતિ વચ્ચે પ્રધાન જીતુ ચૌધરીએ કંટ્રોલરૂમની મુલાકાત લીધી અને કામગીરીની સમીક્ષા કરી. જોકે સંકટના સમયે NDRFની ટીમ જીવના જોખમે કામગીરી કરી રહી છે અને પૂરગ્રસ્તો માટે દેવદૂત સાબિત થઇ રહી છે.

વલસાડનું કોસંબામાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદની સાથે ઉપરવાસમાં પડેલા વરસાદની અસર અહીં જોવા મળી રહી છે. સાથે જ ભરતીને પગલે વરસાદી પાણી દરીયામાં જવાને બદલે ગામમાં આવવા લાગ્યા છે. વાકી નદી અને ઔરંગા નદીના પાણી કોસંબામાં ફરી વળ્યા છે. ત્યારે અહીં સ્થાનિક સ્તર પર તંત્ર દ્વારા અને સ્થાનિકો દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ જળસ્તરમાં સતત વધારાને ધ્યાનમાં રાખી નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.

મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને બાનમાં લીધું છે અને ખાસ કરીને વલસાડની સ્થિતિ વધુ કફોડી થવાની ભીતિ છે. અને એટલે જ અહીં તંત્ર સક્રીય થયું છે. વલસાડની ઔરંગા નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે જેના પગલે કોસ્ટલ હાઈવે પર પાણી ભરાવવાના શરૂ થઈ ગયા છે. ખાસ કરીને વલસાડના તરીયાવાડા જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે. પાણીનું સ્તર વધે તે પહેલા NDRFની ટીમ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે કાર્યરત બની છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

પૂનમની ભરતીને પગલે નદીનું સ્તર વધી રહ્યું  છે બીજી તરફ 40 ગામને જોડતો કોસ્ટલ હાઈવે પર પાણી ફરી વળ્યા છે.. 300થી 400 ઘરમાં પાણી ઘુસી ગયા છે. NDRFની ટીમની સાથે ફાયરબ્રિગેડની ટીમ અને સ્થાનિક તંત્રની ટીમો પણ કામે લાગી છે. પાણીનું વહેણ વધુ તેજ બનતા રસ્તા પર દોરડા બાંધવામાં આવી રહ્યા છે.. સાથે જ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">