Valsad માં માછીમારોએ ઉજવી નાળિયેરી પૂનમ, દરિયાની પુજા કરીને દરિયો ખેડવાની શરૂઆત કરી

વલસાડમાં પણ માછીમારો એ દરિયાની  પુજા અર્ચના કરીને આજથી વ્યવસાય શરુ કર્યો છે. માછીમારોએ દરિયાની પૂજા કરીને નાળિયેરી પૂનમની ઉજવણી કરી હતી.

Valsad માં માછીમારોએ ઉજવી નાળિયેરી પૂનમ, દરિયાની પુજા કરીને દરિયો ખેડવાની શરૂઆત કરી
Fishermen in Valsad start plowing the sea by worshiping celebrated Narali Purnima (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 7:16 PM

રક્ષાબંધનને નાળિયેરી પુનમ તો કોઈ બળેવ પણ કહે છે. રક્ષાબંધનનો દિવસ સાગરખેડુઓ માટે ખુબજ  મહત્વનો દિવસ માનવામાં આવે છે.ચોમાસાના વિરામ બાદ માછીમારો આજથી દરિયો ખેડવાનું શરુ કરે છે. તો આખું વર્ષ સારું જાય અને દરિયો બધીજ રીતે સાથ આપે એ માટે આજે માછીમારો દરિયા અને બોટની પુજા કરે છે.

વલસાડમાં પણ માછીમારો એ દરિયાની  પુજા અર્ચના કરીને આજથી વ્યવસાય શરુ કર્યો છે. માછીમારોએ દરિયાની પૂજા કરીને નાળિયેરી પૂનમની ઉજવણી કરી હતી.

ખેતીની સાથે સાથે વલસાડ જિલ્લો માછીમારી માટે પણ જાણીતો છે.વલસાડ જિલ્લામાં ૭૦ કિલોમીટર દરિયાઈ પટ્ટો હોવાથી અહી માછીમારોની સંખ્યા પણ ખુબજ વધુ છે.તો ચોમાસાના વેકેશન બાદ આજથી માછીમારો ફરીથી દરિયો ખેડવાની શરુઆત કરે છે.રક્ષાબંધનની સાથે સાથે આજના દિવસને બળેવ અને નાળિયેરી પુનમ તરીકે પણ ઓળખવામાં આવે છે . જ્યારે વલસાડ જિલ્લામાં માછીમારો એ દરિયાની પુજા કરીને દરિયો ખેડવાની શરૂઆત કરી છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

ચોમાસા દરમિયાન દરિયો તોફાની હોય છે.જેથી દરિયો ખેડવો જોખમી બની જતો હોય છે.જેથી માછીમારો દરિયામાંથી પરત આવી જાય છે.વલસાડ જિલ્લામાં પણ આશરે ૧૫૦૦ બોટ છે,જોકે ચોમાસાના સમયે આ બોટ કિનારે લાંગરવામાં આવે છે.

તો આજે માછીમારોના પરિવારોએ કિનારે આવીને બોટની પુજા અર્ચના કરી હતી અને દરિયામાં નારિયેળ વધાવીને દરિયાની પણ પુજા કરી હતી. તેમની માન્યતા છે કે દરિયાની પુજા કરવાથી વ્યવસાયમાં પ્રગતિ થાય છે અને તેમના પરિવારની દરિયો સુરક્ષા કરે છે.

છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે માછીમારોની હાલત કફોડી થઈ હતી. બે વર્ષ સુધી માછીમારીની સીઝનમાં પણ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.જોકે આ વર્ષ હવે માછીમારો માટે સારું જાય તેવી માછીમાર પરિવારોએ દરિયાદેવની પૂજા કરી અને આશીર્વાદ માંગ્યા હતા.

રક્ષાબંધનના દિવસે  માછીમારો નાળિયેર વડે દરિયાની પૂજા કરે છે. તેમજ પોતાની રોજગારી અને  દરિયામાં સુરક્ષા માટે પ્રાર્થના કરીને પોતાના ધંધા રોજગારની શરૂઆત કરે છે. જેથી રક્ષાબંધનને નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખાય છે.

આ પણ વાંચો : Gandhinagar : CM વિજય રૂપાણી દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી, બહેનોએ બાંધી મુખ્યપ્રધાનને રાખડી

આ પણ વાંચો :  Ahmedabadની સાબરમતી જેલમાં પણ રક્ષાબંધનની ઉજવણી કરાઇ, ભાવુક દ્રશ્યો સર્જાયા

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">