Valsad : ઓમિક્રોનનો ભય ! મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતા પ્રવાસીઓનુ હાથ ધરાયુ ચેકીંગ

સરકાર દ્વારા જરૂર જણાય ત્યાં સલામતી અને સાવચેતીના ભાગરૂપે આરોગ્ય વિભાગની ટીમોને કાર્ય સોંપવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પર આવેલી ચેકપોસ્ટ પર આરોગ્ય વિભાગના કર્મચારીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 3:14 PM

દેશભરમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટ(Omicron variant)ના કેસ વધી રહ્યા છે. મહારાષ્ટ્ર(Maharashtra)માં પણ ઓમિક્રોનના કેસ નોંધાયેલા છે. ત્યારે ગુજરાતમાં મહારાષ્ટ્ર તરફથી આવતા પ્રવાસીઓ(Tourists) દ્વારા સંક્રમણ ન ફેલાય તે માટે બોર્ડર પર સતર્કતા રાખવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ (Border) પર આવેલી ચેકપોસ્ટ પર ફરી એક વખત આરોગ્ય વિભાગની ટીમો તૈનાત કરવામાં આવી છે.

આરોગ્ય કર્મચારીઓ કરાયા તૈનાત

પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને દેશના અન્ય રાજ્યોમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. આથી રાજ્યમાં સલામતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા જરૂર જણાય ત્યાં સલામતી અને સાવચેતીના ભાગરૂપે આરોગ્ય વિભાગની ટીમોને કાર્ય સોંપવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પર આવેલી ચેકપોસ્ટ પર આરોગ્ય વિભાગના કર્મચારીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે.

પ્રવાસીઓનું સ્ક્રિનિંગ કરવાની કામગીરી

મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પર આવેલી ચેકપોસ્ટ પર મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા પ્રવાસીઓના સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યુ છે. દરેક પ્રવાસીઓની ટ્રાવેલિંગ હિસ્ટ્રી નોંધવામાં આવી રહી છે. આ સાથે જો પ્રવાસીમાં શંકાસ્પદ લક્ષણો જણાય તો તેમના આરટીપીસીઆર ટેસ્ટ પણ કરવાની તૈયારી રાખવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર સતત પ્રવાસીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસની ટીમ પણ તૈનાત

આરોગ્ય વિભાગની ટીમ સાથે મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પર પોલીસની ટીમ તૈનાત કરવામાં આવી છે. પોલીસ દ્વારા વિદેશથી આવતા મુસાફરોના ડેટાની નોંધણી કરવામાં આવી રહી છે. જેને કારણે ચેકપોસ્ટ પર 150થી વધુ વાહનોની લાગી કતારો જોવા મળી.

મહત્વની વાત એ છે ચેકપોસ્ટ પર પ્રવાસીઓના આરોગ્યની તપાસ કરવામાં આવશે અને શંકાસ્પદ લક્ષણો જણાશે તો પ્રવાસી જે જિલ્લામાં જવાનો હોય તે જિલ્લાના વહીવટી તંત્રને આ અંગે જાણ કરવામાં આવશે. જેથી જે તે જિલ્લાનું વહીવટીતંત્ર તેના પર સાવચેતી અને સલામતીના પગલા લઇ શકે.

આ પણ વાંચોઃ Vijay Hazare Trophy 2021-22: 38 ટીમો, 6 ગ્રુપ અને 105 મેચ, 19 દિવસ સુધી દેશમાં વનડે ક્રિકેટનો જંગ જામશે, જુઓ સંપૂર્ણ શેડ્યૂલ

આ પણ વાંચોઃ સુરતમાં બાળકી પર દુષ્કર્મ કરનાર હેવાનને કોર્ટે ફટકારી ફાંસીની સજા, 29 જ દિવસમાં કોર્ટે સંભળાવ્યો ચુકાદો

આ પણ વાંચોઃ Covid-19 :ઓમિક્રોન વેરિઅન્ટ 5 રાજ્યમાં પહોંચ્યો, અત્યાર સુધીમાં 23 કેસની પુષ્ટિ થઈ, મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ

Follow Us:
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
હેલ્મેટનો દુરઉપયોગ કરીને ચોરી કરતો ચોર ઝડપાયો
હેલ્મેટનો દુરઉપયોગ કરીને ચોરી કરતો ચોર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">