વલસાડ : કોરોના મહામારીને કારણે ઉદ્યોગોને માઠી અસર, 700 કરોડની સબસિડીની સરકારની જાહેરાત

ગુજરાત સરકારે ઉદ્યોગને વેગ આપવા માટે રૂપિયા 700 કરોડની સબસિડીની જાહેરાત કરી હતી. ત્યારે એક કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જાહેરાત કરતા ઉદ્યોગકારોને આ સબસિડીનો લાભ લેવા જણાવ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 11:33 AM

કોરોના મહામારીને કારણે રાજ્યના ઉદ્યોગ-ધંધા પર માઠી અસર પડી હતી. ગુજરાત સરકારે ઉદ્યોગને વેગ આપવા માટે રૂપિયા 700 કરોડની સબસિડીની જાહેરાત કરી હતી. ત્યારે એક કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જાહેરાત કરતા ઉદ્યોગકારોને આ સબસિડીનો લાભ લેવા જણાવ્યું હતું. આ પ્રસંગે પાટીલે કનુભાઈ અને સરકારનો આભાર પણ માન્યો હતો. આ સબસિડીના કારણે કોરોના કાળમાં માદા પડી ગયેલા ઉદ્યોગોને બુસ્ટર ડોઝ મળશે. સબસિડીની સહાયથી વાપીના ઉદ્યોગકારોમાં ઉત્સાહની લાગણી જોવા મળી હતી.

વાપી મુલાકાતે આવેલા સી.આર.પાટીલની ટકોર

વાપીની મુલાકાતે પહોંચેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે ટકોર કરી છે કે, નેતાઓએ પણ કાર્યકર બનીને જ રહેવું જોઈએ. મહત્વનું છે કે પાટીલે પારડી વિધાનસભા બેઠકના ભાજપની પેજ કમિટીના સંમેલનમાં હાજરી આપી હતી. પોતાના સંબોધનમાં પાટીલે ભાજપના પેજ કમિટી અને તેની તાકાત તેમજ ભાજપના સંગઠનની શક્તિ વિશે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. સી.આર.પાટીલે કોઈપણ ચૂંટણી જીતવા એકલી લોકપ્રિયતા નહિ, પરંતુ સંગઠનની શક્તિ અને કાર્યકર્તાઓની ફોજ હોવી ખૂબ જ જરૂરી છે તેવું જણાવ્યું હતું. પાટીલે નેતાઓ અને કાર્યકરોને આડકતરી રીતે ઈશારો કરીને કહ્યું, હવે ટિકિટ નહીં મળતા નારાજ થતાં કે પાર્ટી બદલતા નેતાઓએ પણ સમજવાની જરૂર છે કે, પેજ કમિટીની તાકાત એટલી છે કે હવે કોઈ એક વ્યક્તિ નારાજ થાય તો પાર્ટી પરિણામ બદલાશે તેવું કોઈ વિચારી રહ્યું હોય તો એ ખોટું છે…નેતાઓએ પણ કાર્યકર્તા બનીને જ રહેવું જોઈએ.

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">