VADODARA : મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં 4 ઓગષ્ટે નારી ગૌરવ દિવસની ઉજવણી કરાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથ સૌના વિકાસના હેઠળ જનકલ્યાણ અને લોકહિતના અનેકવિધ કાર્યક્રમો રાજ્યભરમાં યોજાઈ રહ્યા છે.

VADODARA : મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં  4 ઓગષ્ટે નારી ગૌરવ દિવસની ઉજવણી કરાશે
Gujarat CM vijay rupani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 9:53 PM

VADODARA : પાંચ વર્ષ આપણી સરકારના -સૌના સાથથી સૌના વિકાસના: નારી ગૌરવ દિવસ

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથ સૌના વિકાસના હેઠળ જનકલ્યાણ અને લોકહિતના અનેકવિધ કાર્યક્રમો રાજ્યભરમાં યોજાઈ રહ્યા છે.

જેના ભાગરૂપે મુખ્યમંત્રી તેમજ રાજ્યકક્ષાના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબેન દવે તા. 4થી ઓગષ્ટે “નારી ગૌરવ દિવસ” નિમિત્તે રાજ્યની મહિલાઓના સન્માન તથા ઉત્કર્ષના હેતુસર મહિલાઓ સાથે સંકળાયેલા મહિલાલક્ષી વિવિધ કાર્યક્રમોનો વડોદરાથી શુભારંભ કરાવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

રાજયના ગ્રામ વિકાસ, શહેરી વિકાસ વિભાગ તથા મહિલા અને બાળ વિભાગ દ્વારા નારી ગૌરવ દિવસ નિમિતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત લોન વિતરણ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ વિવિધ વિકાસ કામોના ડિજિટલ લોકાર્પણ-ખાતમુહૂર્તનો મુખ્યમંત્રી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે.

રાજ્યના 10 હજાર જેટલી સખી મંડળોની એક લાખ બહેનોને કુલ 100 કરોડ રૂપિયા રાજ્ય સરકાર વગર વ્યાજે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે આપશે.

જેમાં શહેરી વિસ્તારમાં 38 અને ગ્રામ્ય વિસ્તારમાં 70 મળીને કુલ 108 જેટલા મહિલા ઉત્કર્ષ યોજનાના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં શહેરી વિસ્તારમાં 5000 અને ગ્રામ્ય વિસ્તારમાં 5000 આમ કુલ 10 હજારથી વધુ સખી મંડળો ભાગ લેશે.

વિવિધ વિકાસ કામોના ડિજિટલ લોકાર્પણ – ખાતમુહૂર્તનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે.

તદઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે 200 આંગણવાડી મકાનોનું લોકાર્પણ તેમજ 143 આંગણવાડી મકાનોનું ખાતમૂર્હૂતના કાર્યક્રમો પણ યોજાશે. આ સાથે લુણાવાડા અને નવસારીમાં સખી વન સ્ટોપ સેન્ટરનું લોકાર્પણ તેમજ મોડાસા, હિંમતનગર અને ગાંધીનગર ખાતે ખાતમૂર્હૂત કરાશે.આ પ્રસંગે અગ્રણીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ અને સખી મંડળની મહિલાઓ હાજર રહેશે.

આ પણ વાંચો : RAJKOT : કોરોના મહામારીમાં 1000થી વધુ આવાસ યોજનાના સસ્તા મકાન લેવા કોઇ તૈયાર નથી

આ પણ વાંચો : VADODARA : નવા યાર્ડ અને નિઝામપુરામાં દુષિત પાણીથી રોગચાળો ફાટી નીકળ્યો, ઘરેઘરે બિમારીના ખાટલા

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">