Vadodara: કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરના કાર્યક્રમમાં મોદીએ વર્ચ્યુઅલ સંબોધનમાં જણાવ્યું કે વડોદરા સ્ટેસ્યુ ઓફ યુનિટીનો બેઝ અને ટુરિઝમના ક્ષેત્રમાં મહત્ત્વનું સ્થાન બનશે

મોદીએ કહ્યુx કે યુવાનો આ શિબિરમાંથી જશે તો નવી ઉર્જા અને નવચેતનાના સંચારનો અનુભવ કરશે. સંસ્કાર શિબિરનું આયોજન એવા સમયે થયું છે જ્યારે દેશ આઝાદીનો આમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે.

Vadodara: કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરના કાર્યક્રમમાં મોદીએ વર્ચ્યુઅલ સંબોધનમાં જણાવ્યું કે વડોદરા સ્ટેસ્યુ ઓફ યુનિટીનો બેઝ અને ટુરિઝમના ક્ષેત્રમાં મહત્ત્વનું સ્થાન બનશે
Modi virtual address at the Karelibaug Swaminarayan temple
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2022 | 1:16 PM

આજે વડોદરા (Vadodara) માં કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર (Swaminarayan temple) ખાતે સપ્તદિનાત્મક જ્ઞાનયજ્ઞમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. વડોદરા કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરના ઘનશ્યામ મહારાજના 18માં પાટોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, મંત્રી વિનોદ મોરડીયા ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરામાં યોજાયેલી ‘યુવા શિબિર’માં PM મોદીએ હુંકાર ભરતા કહ્યું કે, “ભારતની સફળતા યુવાનોના સામર્થ્યની સાબિતી છે અને સંસ્કાર શિબિરોથી સમાજનો ઉદય થાય છે”. કારેલીબાગ ખાતે સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત ‘યુવા શિબિર’માં PM મોદી વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. આ દરમિયાન તેમણે કાર્યક્રમમાં હાજર લોકોને વર્ચ્યુઅલ સંબોધન કર્યું. PM મોદીએ કહ્યું કે, “વડોદરા અને કાશીએ બંનેએ મને એકસાથે સાંસદ બનાવ્યો”. PM મોદીએ વધુમાં કહ્યું કે, “આજે દેશમાં સરકારના કામકાજ કરવાની રીત બદલાઇ છે. સમાજની વિચારધારા પણ બદલાઇ છે અને સૌથી ખુશીની વાત એ છે જનભાગીદારી પણ વધી છે. આજે ભારતમાં વિશ્વની  ત્રીજા નંબરની સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમ છે કે જેનું નેતૃત્વ યુવાઓ જ કરી રહ્યાં છે”.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મોદીએ કહ્યુx કે યુવાનો આ શિબિરમાંથી જશે તો નવી ઉર્જા અને નવચેતનાના સંચારનો અનુભવ કરશે. સંસ્કાર શિબિરનું આયોજન એવા સમયે થયું છે જ્યારે દેશ આઝાદીનો આમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. કોઈ પણ ક્ષેત્રમાં જ્યાં પડકાર હોય છે ત્યાં ભારત ઉમ્મીદોથી આગળ વધ્યો છે. કોરોનામાં વૅક્સિન અને દવાઓ મોકલીને ભારત વિશ્વભરમાં આગળ વધ્યુ છે. ભારતની સફળતમાં યુવાઓ આ સામર્થ્યનો સૌથી મોટો પુરાવો છે.

વડાપ્રધાને જણાવ્યું કે સરકારના કામમાં જન ભાગીદારી વધી છે. ભારત સ્ટાર્ટઅપમાં વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ છે. ભારત માટે અસંભવ મનાતા લક્ષ્ય હતાં તેમાં આજે ભારત બેહતર કરી રહ્યું છે જે દુનિયા જોઇ રહી છે. સ્ટાર્ટઅપમાં વધતું પ્રમાણ તેનો પુરાવો છે. જો બુદ્ધી શુદ્ધ છે તો કંઈ અપ્રાપ્ય નથી.

મોદીએ વડોદરામાં રૂબરુ ન આવી શકવાનો અફસોસ વ્યક્ત કર્યો અને વડાદરાના ઘણા લોકોના નામ લઈને પોતાનું વડોદરા સાથેનું કનેક્શન જણાવ્યું હતું અને વડોદરાના વખાણ કર્યા હતા. મોદીએ જણાવ્યું કે ટુરિઝમના ક્ષેત્રમાં વડોદરા મહત્ત્વનું સ્થાન બનશે. વડોદરા સ્ટેસ્યુ ઓફ યુનિટીનો બેઝ બનશે, પાવાગઢનું પણ રિસ્ટોરેશન થઈ રહ્યું છે તે પણ વડોદરાના વિકાસમાં મહત્ત્વનું સાબિત થશે, મારી પણ ઇચ્છા છે કે પાવાગઢમાં મા કાલીના ચણરમાં આવીને શીષ નમાવું.

મોદીએ કહ્યું કે આપણને દેશ માટે મરવાનું સૌભાગ્યન નથી મળ્યું પણ જીવવાનું સૌભાગ્ય મળ્યું છે તો આપણે દેશ માટે જીવવું પડશે. આઝાદીના અમૃત મહેત્સવ દરમિયાન 15 ઓગસ્ટ 2023 સુધી આ સંસ્કાર અભ્યુદય સેમિનારમાં આવ્યા છે તે અને તેના સગા સંબંધી એ નક્કી કરે કે એક વર્ષ સુધી માત્ર ડીઝીટલ પેમેન્ટ જ કરશે. આનાથી બહુ મોટી ક્રાંતી આવશે, તમારો નાનકડો પ્રયાસ કેટલાય લોકોની જિંદગી બદલાશે. આ આઝાદીના અમૃત મહોત્સવમાં 75 કલાક માતૃભુમિની સેવા માટે કોઈ ને કોઈ કામ સમાજ સેવાને લગતું કામ કરીએ અને આ વર્ષમાં 75 કલાક તેના માટે આપીએ.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">