Vadodara: MS યુનિવર્સિટીના નવા વાઈસ ચાંસેલર તરીકે ડૉ.વિજયકુમાર શ્રીવાસ્તવની નિમણૂક

ઇન્ડ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલેર ડૉ.વિજય કુમાર શ્રીવાસ્તવને હવે MS યુનિવર્સિટીના વાઈસ ચાંસેલર બનાવાયા છે, તેઓ અગાઉ સાકળચંદ પટેલ યુનિવર્સિટીમાં VC રહી ચૂક્યા છે, આ ઉપરાંત PDPU ખાતે ડિન અને આર એન્ડ ડી ના હેડ તરીકે સેવાઓ આપી ચુક્યા છે

Vadodara: MS યુનિવર્સિટીના નવા વાઈસ ચાંસેલર તરીકે ડૉ.વિજયકુમાર શ્રીવાસ્તવની નિમણૂક
Dr. Vijay Kumar Srivastava (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2022 | 6:48 PM

વડોદરા (Vadodara)ની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MS University)ના નવા વાઈસ ચાંસેલર તરીકે રાજ્ય સરકારે ડૉ.વિજય કુમાર શ્રીવાસ્તવની નિમણૂક કરી છે. વાઇસ ચાન્સેલર પદે પ્રો. પરિમલ વ્યાસનો કાર્યકાળ પૂરો થતાં ઇન્ડ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલેર છે ડૉ.વિજય કુમાર શ્રીવાસ્તવને હવે MS યુનિવર્સિટીના વાઈસ ચાંસેલર બનાવાયા છે. તેઓ અગાઉ સાકળચંદ પટેલ યુનિવર્સિટીમાં VC રહી ચૂક્યા છે. આ ઉપરાંત PDPU ખાતે ડિન અને આર એન્ડ ડી ના હેડ તરીકે સેવાઓ આપી ચુક્યા છે.

પ્રો પરિમલ વ્યાસ છેલ્લા સાત વર્ષથી MS યુનિવર્સિટીના વાઇસ ચંસેલર રહેલા હતા. ડૉ.વિજય કુમાર શ્રીવાસ્તવ કેમેસ્ટ્રીમાં માસ્ટરી ધરાવે છે. આજે સરકાર તરફથી નવા વીસીના નામની જાહેરાત કરવામાં આવી છે અને આજે જ પ્રો. પરિમલ વ્યાસનો અંતિમ દિવસ હતો તેથી તેમનો વિદાય સમારંભ પણ આજે જ યોજાયો હતો. તેમને વિદાય આપવા માટે સેનેટ હોલમાં યુનિવર્સિટીનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

બે દિવસ પહેલાં જ ફર્નિચર ખરીદીમાં ગેરરીતિના આક્ષેપો થયા હતા

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં ફર્નિચર ખરીદીમાં ગેરરીતિના આક્ષેપો બાદ શિક્ષણ વિભાગ (Education Department) પણ હરકતમાં આવ્યું છે. આ કેસમાં ઉચ્ચ શિક્ષણ વિભાગની સૂચનાથી તપાસ અધિકારી ડોક્ટર સ્મિતા છાબ વડોદરા પહોંચ્યા હતા અને તપાસ અધિકારીએ યુનિવર્સિટીમાં તપાસ કરી નિવેદનો નોંધી અહેવાલ તૈયાર કર્યો છે. વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં ફર્નિચર ખરીદીમાં ગેરરીતિ થઇ હોવાનો એમએસ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતાએ આક્ષેપ કર્યો છે. પૂર્વ વિદ્યાર્થી નેતા જયમીન જોશીએ આ મામલે ફરિયાદ પણ કરી હતી. જેને ધ્યાને લઇને આ અંગે તપાસ શરુ કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ વિભાગની સૂચનાથી તપાસ અધિકારી ડોક્ટર સ્મિતા છાબ વડોદરા પહોંચી તપાસ કરી હતી. તપાસ અધિકારી ડોક્ટર સ્મિતા છાબ એમએસ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતા જયમીન જોશીને મળ્યા હતા અને તેમની ફરિયાદને સાંભળી હતી, ત્યાર બાદ યુનિવર્સિટીના એડમીન વિભાગમાંથી નિવેદનનો પણ નોંધ્યા હતા. જેનો અહેવાલ તૈયાર કરીને ડોક્ટર સ્મિતા છાબ શિક્ષણ વિભાગને સુપરત કરશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

RTI કરીને ફર્નિચરના કામની વિગતો મંગાઈ હતી

પૂર્વ વિદ્યાર્થી નેતા જયમીન જોશીએ RTI કરીને ફર્નિચરના કામ અંગેની વિગતો માગી હતી. જેના જવાબમાં યુનિવર્સિટી દ્વારા જે નોર્મ્સના આધારે કામ કરવામાં આવ્યુ તેની વિગતો આપવામાં આવી. જો કે પૂર્વ વિદ્યાર્થી નેતા જયમીન જોશીના જણાવ્યા અનુસાર સરકારના જે નોર્મ્સ છે તેના આધારે કામ થયુ નથી. જે અંગે પૂર્વ વિદ્યાર્થી નેતા જયમીન જોશીએ તપાસ અધિકારી ડોક્ટર સ્મિતા છાબને દસ્તાવેજો પણ બતાવ્યા હતા.

આ પણ વાંચોઃ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ત્રીજી વખત બીન સચિવાલયની પરીક્ષા મોકૂફ રખાઈ, 13 ફેબ્રુઆરીએ યોજાવાની હતી પરીક્ષા

આ પણ વાંચોઃ Ahmedabad: બિલ્ડરો જૂથો પર ઇન્કમટેક્સ વિભાગનો સાપટો, શિલ્પ અને શિવાલિક જૂથના 25થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">