Vadodara: સયાજી હોસ્પિટલમાં એપીલેપ્સી સારવાર માટે વિનામૂલ્યે નિદાન કેમ્પનું કરાયું આયોજન

સયાજી હોસ્પિટલના બાળ સારવાર વિભાગ દ્વારા એક પહેલના રૂપમાં એપીલેપ્સી (વાઈ/ખેંચ) સારવાર કેમ્પ યોજવામાં આવ્યો છે. વાઈ, ખેંચ કે, મિર્ગીના નામે ઓળખાતા આ રોગના જે દર્દીઓને વધારે દવા આપવા છતાં રોગ કાબૂમાં આવતો નથી તેમની કેરળની સેવા સંસ્થાના તજજ્ઞ તબીબો દ્વારા સઘન તબીબી ચકાસણી કરવા માટે આ કેમ્પ યોજવામાં આવ્યો છે જેની સેવાઓ વિનામૂલ્યે આપવામાં આવી રહી છે.

Vadodara: સયાજી હોસ્પિટલમાં એપીલેપ્સી સારવાર માટે વિનામૂલ્યે નિદાન કેમ્પનું કરાયું આયોજન
Camp for Epilepsy Treatment
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Jun 24, 2022 | 3:20 PM

Vadodara: સયાજી હોસ્પિટલના બાળ સારવાર વિભાગ દ્વારા એક પહેલના રૂપમાં એપીલેપ્સી (Epilepsy) (વાઈ/ખેંચ) સારવાર કેમ્પ યોજવામાં આવ્યો છે. વાઈ, ખેંચ કે, મિર્ગીના નામે ઓળખાતા આ રોગના જે દર્દીઓને વધારે દવા આપવા છતાં રોગ કાબૂમાં આવતો નથી તેમની કેરળની સેવા સંસ્થાના તજજ્ઞ તબીબો દ્વારા સઘન તબીબી ચકાસણી કરવા માટે આ કેમ્પ યોજવામાં આવ્યો છે જેની સેવાઓ વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. આ બાબતે વાત કરતા વિભાગના વડા ડો.શીલા ઐયરે જણાવ્યું કે, મિશન બેટર ટુમોરો અને aster – mims કાલિકટ તેમજ આઇ.એમ.એ. વડોદરાના સહયોગથી આયોજિત આ બે દિવસના કેમ્પમાં વાઈ/ ખેંચ/ મિર્ગી પીડિત દર્દીઓને વિનામૂલ્યે સારવારનો લાભ મળશે.

મહત્વનું છે કે, આ રોગ મોટેભાગે બાળકોમાં અને કેટલાંક પુખ્ત વયના લોકોમાં જોવા મળે છે અને સયાજી હોસ્પિટલના બાળ રોગ વિભાગમાં તેના બાળ દર્દીઓને નિયમિત સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ છે જ. જો કે કેટલાક બાળ અને પુખ્ત વયના વાય પીડિત રોગીઓમાં, દવાઓ બદલવા છતાં અને વધુ દવાઓ આપવા છતાં રોગ કાબૂમાં આવતો નથી. આવા દર્દીઓની સઘન તપાસ આ કેમ્પમાં કરીને તેમનો વધુ ઈલાજ કેવી રીતે થઈ શકે તે માટે આ કેમ્પ યોજવામાં આવ્યો છે. કાલીકટની ઉપરોક્ત સંસ્થામાં આ પ્રકારના જટિલ કેસોની સારવાર અને લાભ થવાની શક્યતા હોય તો ખાસ પ્રકારની સર્જરી કરવામાં આવે છે. આ કેમ્પમાં વિનામૂલ્યે સેવા આપવામાં આવી રહી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

aster – mims, કાલીકટના તબીબી તજજ્ઞએ જણાવ્યું કે, અમારા સેન્ટર ખાતે હઠીલા વાઈ રોગથી પીડિત અને લાભ થવાની શક્યતાઓ હોય તેવા બાળ દર્દીઓની મિશન બેટર ટુમૉરો સંસ્થાના સહયોગથી વિનામૂલ્યે સર્જરી કરવામાં આવે છે. રાજકોટ પછી વડોદરામાં ગુજરાતનો આ બીજો કેમ્પ અમે યોજી રહ્યાં છે. અમે આ કેમ્પમાં જે બાળકો દવા આપવા છતાં વારંવાર આ રોગના હુમલાનો ભોગ બને છે એમનું સઘન સ્ક્રીનીંગ કરીશું. દવા બદલવાથી કે, સર્જરીથી એમને ફાયદો થાય કે કેમ તેનું મૂલ્યાંકન કરીને વધુ સારવારના વિકલ્પો ચકાસીશું.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">