Corona Virus:  DyCM નીતિન પટેલ આવતીકાલે લેશે વડોદરાની મુલાકાત, કોરોનાની સ્થિતિ અંગે કરશે સમિક્ષા  

રાજ્યમાં કોરોના વાઈરસના (Corona Virus) કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કોરોના વાઈરસના દૈનિક કેસ 2000ને પાર નોંધાઈ રહ્યા છે.

| Updated on: Apr 02, 2021 | 4:54 PM

રાજ્યમાં કોરોના વાઈરસના (Corona Virus) કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કોરોના વાઈરસના દૈનિક કેસ 2000ને પાર નોંધાઈ રહ્યા છે. વડોદરા (Vadodara) શહેર અને જિલ્લામાં પણ કોરોનાના કેસ ચિંતાજનક સ્થિતિએ વધી રહ્યા છે. ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ (DyCM Nitin Patel) આવતીકાલે વડોદરાની મુલાકાત લેશે અને કોરોનાની સ્થિતિ અંગેની સમિક્ષા કરશે.

 

 

સતત વધતા કોરોનાના કેસ વચ્ચે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તંત્ર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરશે. તમને જણાવી દઈએ કે વડોદરામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને બાળકોમાં પણ સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે નાયબ મુખ્યપ્રધાન આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરવાના છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ફોન પર વાતચીત કરી સ્થિતિ અંગેની જાણકારી મેળવી હતી. હવે આવતીકાલે નાયબ મુખ્યપ્રધાન જાતે વડોદરાની મુલાકાત લેશે અને કોરોનાના કેસોમાં ઘટાડો કરવા માટે ક્યા પગલાં ભરવા તે અંગે નિર્ણય કરશે.

 

 

આપને જણાવી દઈએ કે તંત્ર દ્વારા લોકોને વેક્સિન આપવાની કામગીરીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે લોકોને સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. સતત વધતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં રાત્રિ કર્ફ્યૂની મુદત પણ 15 એપ્રિલ સુધી વધારી દેવામાં આવી આવી છે.

 

આ પણ વાંચો: Chhattisgarh Corona Update : છત્તીસગઢમાં કોરોના સંક્રમણ વધ્યું, દુર્ગ જિલ્લામાં 6 થી 14 એપ્રિલ સંપૂર્ણ લોકડાઉન

Follow Us:
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">