Vadodara : સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા મુશ્કેલી સર્જાઈ, આ ગામો માટે જાહેર કરાયું એલર્ટ
નર્મદામાં પ્રવાહિત પાણીનો જથ્થો 4.95 લાખ ક્યુસેક થયો છે, જેના પગલે નદી બે કાંઠે વહેતી થઇ છે. હાલ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાઓના (Dabhoi) નર્મદા કાંઠાના 4 ગામોમાં એલર્ટ (ALert) આપવામાં આવ્યુ છે.
રાજ્યમાં ગઈકાલે મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ભારે વરસાદને (Rain) પગલે કેટલાક ગામોમાં સ્થિતિ વણસી છે. તો બીજી તરફ ગુજરાત (Gujarat) અને મધ્યપ્રદેશમાં પડી રહેલા ભારે વરસાદના (Heavy Rain)પગલે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. નર્મદામાં પ્રવાહિત પાણીનો જથ્થો 4.95 લાખ ક્યુસેક થયો છે, જેના પગલે નદી બે કાંઠે વહેતી થઇ છે. હાલ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાઓના (Dabhoi) નર્મદા કાંઠાના 4 ગામોમાં એલર્ટ (Alert) આપવામાં આવ્યુ છે. એટલું જ નહીં સાવચેતી અને સતર્કતા રાખવા તંત્રને સુચના આપવાની સાથે લોકોને નદીમાં નાહવા,કાંઠે જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે
નર્મદા ઘાટીના (Narmada River) ઉપરવાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છે અને ઓમકારેશ્વર ડેમમાં (Omkareshvar dam) ધશથી છોડાતા પાણી થી સરદાર સરોવર જળાશય ભરાઈ રહ્યું છે. તેને અનુલક્ષીને આજે સાંજના 5 વાગે સરદાર સરોવર બંધ ખાતે 23 રેડિયલ ગેટ્સ 2.90 મીટરની નવી ઊંચાઈ સુધી ખોલવા પડશે. હાલમાં આ ગેટ્સ 2.25 મીટર ખુલ્લા છે અને તેમાં થઈને 3.50 લાખ ક્યુસેક પાણી નદીમાં ઠલવાઈ રહ્યું છે. વધુ ઊંચાઈ સુધી ગેટ ખોલ્યા પછી તેમાં થઈને નદીમાં પ્રવાહિત થતાં પાણીનું પ્રમાણ વધીને 4.50 લાખ ક્યુસેક થશે. આ ઉપરાંત જળ વિદ્યુત મથકમાંથી નદીમાં 45 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
જેના કારણે કાંઠાના ગામોને એલર્ટ આપવામાં આવ્યુ છે.આ ઉપરાંત ચક્રતીર્થ ઘાટ, મલ્હારાવ ઘાટ , સોમેશ્વર ઘાટ સહિત 4 જેટલા ઘાટ પર પોલીસનો (Police) ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો માછીમારોને (Fisherman) પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.