Vadodara : દૂષિત પાણીથી યુવતીના મોત મામલે રાજકારણ છેડાયું, ન્યાય અને વળતર માટે કોંગ્રેસ જનઆંદોલન કરશે

કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતે (narendra rawat) કહ્યું હતું કે, વડોદરામાં મેયરના વિસ્તારમાં જ દૂષિત પાણીથી યુવતીના મોતની ઘટના ખુબજ દુઃખદ અને શરમજનક છે.

Vadodara : દૂષિત પાણીથી યુવતીના મોત મામલે રાજકારણ છેડાયું, ન્યાય અને વળતર માટે કોંગ્રેસ જનઆંદોલન કરશે
Congress protest over death of a girl
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2022 | 8:12 AM

વડોદરામાં (Vadodara) દૂષિત પાણીથી યુવતીના મોત મુદ્દે કોંગ્રેસ વિરોધ (Congress Protest) નોંધાવશે. સાથે જ કોંગ્રેસે યુવતીના પરિવારને વળતરની માગણી કરી છે. કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતે (narendra rawat) કહ્યું હતું કે, વડોદરામાં મેયરના વિસ્તારમાં જ દૂષિત પાણીથી યુવતીના મોતની ઘટના ખુબજ દુઃખદ અને શરમજનક છે. આ મુદ્દે જો યુવતી અને તેના પરિવારને વહેલી તકે ન્યાય અને વળતર મળે તે માટે આગામી સમયમાં કોંગ્રેસ (Congress) જનઆંદોલન કરશે.

વડોદરામાં રોગચાળો હવે જીવલેણ બની ગયો

વડોદરા (Vadodara) માં રોગચાળો (Epidemic ) હવે જીવલેણ બની ગયો છે. ખુદ મેયરના મત વિસ્તારમાં જ શંકાસ્પદ કોલેરા (cholera) થી યુવતીનું મોત થયા બાદ રાજકારણ ગરમાયું છે. મેયરના વોર્ડમાં સમાવિષ્ટ જેતલપુર રોડ પરના હરિજન વાસમાં દૂષિત પાણીને પગલે શંકાસ્પદ કોલેરાથી 20 વર્ષની યુવતીનું મોત થયુ હતુ. જેને લઈ સ્થાનિકો સહિત વિપક્ષે સત્તાધીશોને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. કારણ કે શહેરના મહેબૂબ પુરા, આજવા રોડ સહિત અનેક વિસ્તારોમાં દૂષિત પાણી આવતું હોવાથી ઘરે-ઘરે બીમારીના ખાટલા છે. કમળો, ઝાડા-ઉલ્ટી, કોલેરા સહિતના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એસએસજી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા કતારો જોવા મળે છે. સવારે અને સાંજે ઓપીડીના સમય દરમિયાન દર્દીઓના ખચોખચ લાઈનો જોવા મળે છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

શુદ્ધ પાણીના અભાવે સ્થિતિ વધુ વણસશે

આંકડાની વાત કરીએ તો 11થી 18 જુલાઈ સુધી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના 2 હજાર 253 કેસ નોંધાયા છે. જ્યારે SSG હોસ્પિટલના વિવિધ 7 વોર્ડમાં 197 જેટલા દર્દીઓ સારવાર આપવામાં આવી રહી છે. બીમાર દર્દીઓના પરિવારોની માંગ છે કે તેમના વિસ્તારમાં તાત્કાલિક શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવે નહીં તો સ્થિતિ વધારે વણસે તેમ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">