CM ભુપેન્દ્ર પટેલે વડોદરામાં 50માં બાળ મેળાને ખુલ્લો મુક્યો, G-20ની થીમ ‘વસુધૈવ કુટુંબકમ્’ના મંત્રને કેન્દ્રમાં રખાયો

Vadodara News : સયાજી કાર્નિવલના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રીએ જી-20ની થીમ ‘વસુધૈવ કુટુંબકમ્’ના મંત્રને કેન્દ્રમાં રાખીને બાળમેળાના આયોજન બદલ શિક્ષણ સમિતિને ગૌરવસહ અભિનંદન પાઠવ્યા હતા

CM ભુપેન્દ્ર પટેલે વડોદરામાં 50માં બાળ મેળાને ખુલ્લો મુક્યો, G-20ની થીમ ‘વસુધૈવ કુટુંબકમ્’ના મંત્રને કેન્દ્રમાં રખાયો
વડોદરામાં 50માં બાળ મેળાને ખુલ્લો મુકાયો
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Jan 27, 2023 | 3:11 PM

વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 50માં બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો. 27થી 29 જાન્યુઆરી સુધી ચાલનારા બાળમેળામાં આનંદ બજાર, એડવેન્ચર ઝોન, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિસરાતી રમતો, શૈક્ષણિક પ્રોજેક્ટ સહિત અન્ય પ્રવૃત્તિઓઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો વિદ્યાર્થીઓ, વાલીઓ અને નગરજનો લાભ લઈ શકશે. વડોદરા શહેરની સરકારી શાળાઓના બાળમેળાનું ઉદ્ઘાટન કરવા આવેલા મુખ્યમંત્રીના ચહેરા પર બાળકો પ્રત્યેના વાત્સલ્યનો પરિચય થયો હતો.

જી-20ની થીમ પર બાળમેળો

સયાજી કાર્નિવલના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રીએ જી-20ની થીમ ‘વસુધૈવ કુટુંબકમ્’ના મંત્રને કેન્દ્રમાં રાખીને બાળમેળાના આયોજન બદલ શિક્ષણ સમિતિને ગૌરવસહ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે, જેમ વિવિધતામાં એકતાવાળો આપણો આ દેશ છે, તેમ સયાજી કાર્નિવલ આવી જ વિવિધતાઓ, સંસ્કૃતિઓ, કળાઓ અને વિચારોને પ્રદર્શિત કરતું મંચ છે.

જી-20 સમિટ અંતર્ગત સમગ્ર દેશમાં 200થી વધારે કાર્યક્રમો : CM

CM ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ બાળમેળામાં જી-20ની થીમને કેન્દ્રમાં રાખી હોવાથી બાળકોને જી-20 સમિટ વિશે માહિતી અને જાણકારી મળશે. જી-20 સમિટ અંતર્ગત સમગ્ર દેશમાં 200થી વધારે કાર્યક્રમો થવાના છે, જેમાંથી 15 જેટલા કાર્યક્રમો ગુજરાતમાં યોજાવાના છે. આ યજમાનીનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં જે રીતે આપણો દેશ તમામ ક્ષેત્રે વિકાસમાં હરણફાળ ભરી રહ્યો છે, તેનાથી બીજા દેશો અને તેના પ્રતિનિધિઓ રૂબરૂ થાય, તેવું મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

10થી 12 લાખ લોકો બાળમેળો જોવા આવે તેવી શક્યતા

બાળહોદ્દેદારોના વાક્ કૌશલથી અભિભૂત થયેલા મુખ્યમંત્રીએ કોર્પોરેશનની શાળાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓની પ્રશંસા કરી હતી. તેમણે પોતે ધો.1 થી ધો. 4 સુધીનું પ્રાથમિક શિક્ષણ કોર્પોરેશનની શાળામાં લીધું હોવાનું જણાવી, શાળામાં શિક્ષકો પૂરતું ધ્યાન આપતા હોવાનું અને શિક્ષકો વિદ્યાર્થીઓની દરકાર રાખીને કામ કરી રહ્યા હોવાનું ભાવપૂર્વક જણાવ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યુ કે, જે પણ મુલાકાતીઓ આવે છે તેના પ્રતિભાવો વીડિયો રેકોર્ડિંગ કરીને વિદ્યાર્થીઓને બતાવવા જોઈએ. વડોદરાના 10 થી 12 લાખ લોકો આ બાળમેળાને જોવા આવશે, ત્યારે મુખ્યમંત્રીએ અદ્ભૂત આયોજન બદલ શિક્ષણ સમિતિને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે મેયર કેયુર રોકડીયા, વિધાનસભા મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય શૈલેષ મહેતા, મનીષા વકીલા, ચૈતન્ય દેસાઈ, સાંસદ રંજનબેન ભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ, પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલ સહિતના પદાધિકારીઓ, જિલ્લા કલેક્ટરએ. બી. ગોર, મનપા કમિશનર બંછાનિધિ પાની, જિલ્લા વિકાસ અધિકારી રાજેન્દ્ર પટેલ, શિક્ષણ સમિતિના અધ્યક્ષ હિતેશ પટણી, ન.પ્રા.શિ.સ.ના ઉપાધ્યક્ષ હેમંત જોષી, શાસનાધિકારી સહિતના શિક્ષણ સમિતિના પદાધિકારીઓ અને સભ્યો, વિશાળ સંખ્યામાં બાળ વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિતના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">