વડોદરા: કરજણમાં દૂષિત પાણીના કારણે રોગચાળો વકર્યો , બાળક સહિત 15 જેટલા લોકોને ઝાડા ઉલ્ટી થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
વડોદરાના કરજણમાં દૂષિત પાણીના કારણે રોગચાળો વકર્યો છે. કરજણના સંતોષનગર અને જલારામનગર વિસ્તારમાં ઝાડા ઉલ્ટીના કેસો સામે આવ્યાં છે. આ વિસ્તારમાં બાળકો સહિત 15 જેટલા લોકોને ઝાડા ઉલ્ટીની અસર થઇ હતી. આ તમામ દર્દીઓને કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી છે. આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં આવેલા આ તળાવમાં પાણીના બદલે ભરાઈ છે […]
વડોદરાના કરજણમાં દૂષિત પાણીના કારણે રોગચાળો વકર્યો છે. કરજણના સંતોષનગર અને જલારામનગર વિસ્તારમાં ઝાડા ઉલ્ટીના કેસો સામે આવ્યાં છે. આ વિસ્તારમાં બાળકો સહિત 15 જેટલા લોકોને ઝાડા ઉલ્ટીની અસર થઇ હતી. આ તમામ દર્દીઓને કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી છે.
આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં આવેલા આ તળાવમાં પાણીના બદલે ભરાઈ છે કચરો, તળાવના નવીનીકરણની વાતો કાગળ પર
મહત્વપુર્ણ છે કે જલારામનગર અને સંતોષનગરમાં પાછલાં કેટલાક દિવસોથી દૂષિત પાણીની સમસ્યા ઉભી થઈ હતી. આ મામલે કરજણ નગરપાલિકાના સત્તાધીશોને રજુઆત પણ કરવામાં આવી હતી. જોકે પાલિકાના બહેરાં કાને રજુઆત ન પહોચતાં આ વિસ્તારના લોકોને રોગનો ભોગ બનવાનો વારો આવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો