Vadodara: વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર, કોરોનાથી થતા મૃત્યુદરમાં ઘટાડો

વડોદરામાં (Vadodara) કોરોના કહેર બાદ રાહતના સમાચાર મળી રહ્યા છે. શહેર અને જિલ્લામાં ધીમે ધીમે કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. જેને પગલે કોરોનાના દર્દીઓના મૃત્યુ દરમાં પણ ઘટાડો થયો છે.

Charmi Katira
| Edited By: | Updated on: May 08, 2021 | 6:07 PM

વડોદરામાં (Vadodara) કોરોના કહેર બાદ રાહતના સમાચાર મળી રહ્યા છે. શહેર અને જિલ્લામાં ધીમે ધીમે કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. જેને પગલે કોરોનાના દર્દીઓના મૃત્યુ દરમાં પણ ઘટાડો થયો છે. 8 દિવસ બાદ શહેરમાં કોરોનાના દર્દીના મોતની સંખ્યા ઘટી રહી છે.

વડોદરામાં કોવીડ મૃતકોની સંખ્યામાં ઘટાડો થયો છે. તો કુદરતી રીતે થયેલા મોતમાં પણ ઘટાડો થયો છે. કોવિદ દર્દીના અંતિમ સંસ્કાર માટે પહેલા કોવીડ કંટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવે છે. ત્યારબાદ કંટ્રોલ રૂમથી ફાયર કંટ્રોલ રૂમમાં કોલ કરવામાં આવે છે. આ કોલમાં આંશિક ઘટાડો થયો છે.

વડોદરાના વાસણા સ્મશાનમા દરરોજ 8 થી 10 કોવિડ મૃતકોની અંતિમવિધિ થતી હતી. હવે દરરોજ 1 થી 2 કોવિડ મૃતકોની અંતિમવિધિ થાય છે. કોરોનાના દર્દીઓના મૃતદેહના અંતિમ સંસ્કાર માટે 30 એપ્રિલે 12 વર્ધિ, 1 મે ના રોજ 7 વર્ધિ, 2 મે ના રોજ 9 વર્ધિ,  3 મે ના રોજ 10 વર્ધિ, 4 મે ના રોજ 5 વર્ધિ, 5 મે ના રોજ 3 વર્ધિ, 6 મે ના રોજ 9 વર્ધિ, 7 મેં ના રોજ 7 વર્ધિ થઇ હતી.

આ તરફ આરોગ્ય વિભાગ માની રહ્યું છે કે, કોરોના કેસની જેમ મૃત્યુઆંક પણ ઘીમે ધીમે ઘટતો જશે. જે રીતે કોરોના કેસમાં ઘટાડો થયો છે તે રીતે કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટતા હજુ પણ આઠ થી દસ દિવસનો સમય લાગી શકે છે.

24 કલાકમાં 12 કોરોના દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક 447 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 989 પોઝિટિવ કેસ નોંધાયા છે. 24 કલાક દરમિયાન 10521 ટેસ્ટ, 9532 નેગેટિવ આવ્યા છે. 9413 એક્ટિવ કેસ, 571 ઓક્સિજન પર દર્દીઓ છે. છેલ્લા 24 કલાક દરમિયાન 754 ડિસ્ચાર્જ, અત્યાર સુધી 40644 ડિસ્ચાર્જ થયા છે.

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">