Vadodara ને ઓક્સિજનનો પૂરતો જથ્થો મળ્યો, કોરોના દર્દીઓને નહીં પડે કોઈ હાલાકી: રાજ્ય પ્રધાન યોગેશ પટેલ
વડોદરામાં ઓક્સિજનની અછતની સતત બૂમ પડી રહી છે. કોરોના દર્દીઓને હાલાકી ન પડે તે માટે વહીવટી તંત્ર સતત વ્યવસ્થા ગોઠવી રહ્યું છે.
વડોદરામાં ઓક્સિજનની અછતની સતત બૂમ પડી રહી છે. કોરોના દર્દીઓને હાલાકી ન પડે તે માટે વહીવટી તંત્ર સતત વ્યવસ્થા ગોઠવી રહ્યું છે. રાજ્યના પ્રધાન યોગેશ પટેલે કહ્યું કે, રાજ્ય સરકારે શુક્રવારે 189 મેટ્રિક ટન જથ્થો વડોદરાને ફાળવી આપ્યો છે. જે અગાઉ 170 થી 172 મેટ્રિક ટન ઓક્સિજન વડોદરાને મળતો હતો. વડોદરામાં ઓક્સિજનના જથ્થાને લઈ મેયર, સાંસદથી લઈને તંત્ર રાજ્ય અને કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં છે.
Latest Videos
Latest News