કોરોના વેક્સિન માટે Made In Chinaની સિરિન્જના ઉપયોગનો ઘટસ્ફોટ, થશે તપાસ : નીતિન પટેલ
કોરોના વેક્સિન ટૂંક સમયમાં આવી રહી છે તેવી લોકોને આશા બંધાઈ છે. સ્વદેશી વેક્સિન સફળ રહે તે માટે પ્રયાસો થઈ રહ્યા છે તેવામાં આ રસી આપવા માટે ગુજરાતમાં મેડ ઈન ચાઈનાની સિરિન્જનો ઉપયોગ થઈ રહ્યો છે . આ સિરિન્જના જથ્થામાંથી બોક્સ તેમજ સિરિન્જની ચકાસણી કરતા મામલો સામે આવ્યો છે. માત્ર એટલું જ નહિ, ચાઈનાની કંપનીને […]
કોરોના વેક્સિન ટૂંક સમયમાં આવી રહી છે તેવી લોકોને આશા બંધાઈ છે. સ્વદેશી વેક્સિન સફળ રહે તે માટે પ્રયાસો થઈ રહ્યા છે તેવામાં આ રસી આપવા માટે ગુજરાતમાં મેડ ઈન ચાઈનાની સિરિન્જનો ઉપયોગ થઈ રહ્યો છે . આ સિરિન્જના જથ્થામાંથી બોક્સ તેમજ સિરિન્જની ચકાસણી કરતા મામલો સામે આવ્યો છે. માત્ર એટલું જ નહિ, ચાઈનાની કંપનીને ખાસ ઓર્ડર મળ્યો હોય તેમ સિરિન્જના લેબલ પર નોટ ફોર સેલ અને ગર્વમેન્ટ સપ્લાયનો લોગો લગાવીને જથ્થો મોકલવામાં આવ્યો છે.
તો આ ઘટસ્ફોટ બાદ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે, સરકારના ધ્યાનમાં આ વાત આવી છે. જેની તપાસ કરાવવામાં આવશે. નીતિન પટેલે કહ્યું કે, હું માનું છું કે રસીકરણ માટે ભારતીય બનાવટની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે.