મહાશિવરાત્રીના દિવસે શિવજીના મંદિરમાં પૂજા કરવા તો લાખો-કરોડો લોકો ઉમટી પડે છે. પરંતુ શિવજીનો એક એવો અનોખો ભક્ત વર્ગ છે કે જે અનોખી રીતે મહાશિવરાત્રીના દિવસે શિવજીની પૂજા કરે છે. તે કોઈ મંદિરમાં કે ઘરમાં શિવજીની પ્રતિમા સામે પૂજા નથી કરતા પરંતુ તેમની પૂજા કરવાની એક એવી રીતે છે કે તમે પણ જાણીને દંગ રહી જશો.આ છે ગુજરાતની હદ્દમાં અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવેલું ઉમરગામ.
ઉમરગામમાં માછીમારોની મોટા પ્રમાણમાં વસ્તી છે અને તેઓ માછી મારી કરવા રોજ દરિયામાં જતા હોય છે.પરંતું મહા શિવરાત્રીના દિવસે તે દરિયામાં માછીમારી કરવા જતા નથી. જી હા,મહાશિવરાત્રીના દિવસે ઉમરગામના માછીમારો દરિયા ઉપર શિવલિંગ બનાવે છે અને તેની પૂજા અર્ચના કરે છે.
દરિયાની માટી સાથે જ અનોખું શિવલિંગ બનાવવામાં આવે છે. જેમાં કલાકો વીટી જાય છે પણ બધા એક જૂથ થઈને શિવલિંગ બનાવે છે અને તેની પૂજા અર્ચના કરે છે.ઉમરગામના દરિયા કિનારે બનતું આ શિવલિંગનો સિલસિલો પરંપરાગત ચાલી આવ્યો છે.દર વર્ષે અહી શિવલિંગ બનાવવામાં આવે છે અને કઇક અલગ થીમ રાખવામાં આવે છે.
પરંતુ આ વર્ષે ભક્તોને બમણો લાભ મળ્યો છે.શિવજીના દર્શન સાથે દેશભક્તિ કરવાનો પણ મોકો મળ્યો છે. પુલવામા માં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે અને ખુબજ સુંદર રીતે તેને માટીમાં વર્ણવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ખાસ વાત એ છેકે દરિયાની રેતીનો ઉપયોગ કરીને બનતું આ શિવલિંગ ખંડિત થતું નથી કેમકે દરિયાની ભરતી સાથે આ શિવલિંગ પાણીમાં ભળી જાય છે.તો દેવોના દેવ એવા શિવજીની પુજા કરવા માટે માછીમારો દ્વારા બનાવતા દરિયા કિનારે શિવલિંગની પરંપરા જાળવી રાખવા માટે યુવા વર્ગ કટિબદ્ધ છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]