ગુજરાતમાં 77 આઈએએસ અધિકારીઓની બદલી
ગુજરાત સરકારે આજે સનદી અધિકારીઓની બદલીનો ( Transfer ) ગંજીપો ચિપ્યો છે. ગુજરાતના વિવિધ જિલ્લાના કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનર સહીત કુલ 77 સનદી અધિકારીઓની ( IAS officers ) અસર પરસ બદલીના હુકમ કર્યા છે.
ગુજરાત સરકારે આજે ઉચ્ચ સનદી અધિકારીની સાગમટે બદલી ( Transfer ) કરી છે. બદલી કરાયેલા અધિકારીઓમાં ગાંધીનગર સચિવાલય સ્થિત સચિવ ઉપરાંત વિવિધ જિલ્લાઓના જિલ્લા કલેકટરનો પણ સમાવેશ થાય છે.
બદલી કરાયેલા સનદી અધિકારીઓમાં વિવિધ જિલ્લાઓના કલેકટર (District Collector ) જિલ્લા વિકાસ અધિકારીઓ (District Development Officer), મ્યુનિસિપલ કમિશનર ( Municipal Commissioner ) તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહીતના અધિકારીઓનો સમાવેશ થાય છે.
શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માની બદલી શ્રમ વિભાગના અગ્ર સચિવ પદે કરવામાં આવી છે. એસટી નિગમના મેનેજીંગ ડિરેકટર એચ. જે હૈદરની બદલી શિક્ષણ વિભાગના અગ્ર સચિવપદે કરવામાં આવી છે. મહિસાગરના કલેકટર આર બી બારડની બદલી, વડોદરના કલેકટર તરીકે કરવામાં આવી છે. નવસારીના કલેકટર અર્દા અગ્રવાલની રાહત નિયામક તરીકે કરવામાં આવી છે. તો જીએસડીએમનો હવાલો પણ તેમને જ સોપવામાં આવ્યો છે.
જામનગરના કલેકટર રવિશંકરની બદલી સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે મુખ્ય વ્યવસ્થાપક તરીકે કરવામાં આવી છે. તો તેમને નર્મદા નિગમ લિમીટેડના જોઈન્ટ મેનેજીગ ડિરેકટરની જવાબદારી આપવામાં આવી છે. રાજકોટના કલેકટર રમ્યા મોહનની બદલી, આરોગ્ય વિભાગમાં મિશન હેલ્થના ડાયરકેટર પદે કરવામાં આવી છે.
કયા કયા જિલ્લાના બદલાયા કલેકટરઃ
મહિસાગર – આર બી બારડ રાજકોટ – રમ્યા મોહન જામનગર – રવિશંકર નવસારી- અર્દા અગ્રવાલ આણંદ – આર જી ગોહીલ સુરત – ઘવલ પટેલ દાહોદ- વિજય ખરાડી કચ્છ- પ્રવિણા ડી. કે. દેવભૂમિ દ્વારકા- નરેન્દ્ર મીણા ગીર સોમનાથ- અજય પ્રકાશ જૂનાગઢ-ડૉ. સૌરભ જામસીંગ અમરેલી- આયુષ ઓક સુરેન્દ્રનગર- કે રાજેશ છોટા ઉદેપુર- સુજલ માયાત્રા અરવલ્લી-અમૃતેશ ઔરગાબાદકર પંચમહાલ-અમિત અરોરા બોટાદ- વિશાલ ગુપ્તા ભાવનગર-ગૌરાગ મકવાણા
કયા મ્યુનિસિપલ કમિશનર બદલાયા ઉદીત અગ્રવાલ – રાજકોટ રતનકુંવર ગઢવીચારણ – ગાંધીનગર તુષાર સુમેરા- જૂનાગઢ