રસોડામાં જોવા મળતો આ એક જ મસાલો દૂર ભગાવશે નાની નાની બિમારીઓને
કોરોના કાળમાં તમારી જાતને તમે જેટલું સ્વસ્થ અને ફિટ રાખી શકો એ તમારા માટે જ બેસ્ટ છે. બદલાતી ઋતુના કારણે આજે લોકોને ગળામાં ખારાશ, ઇન્ફેક્શન, સૂકી ખાંસી, શરદી ખાંસી જેવી સમસ્યાઓથી હેરાન થવું પડે છે. આ એવી સમસ્યા છે જે કોરોનાના પણ લક્ષણમાં આવે છે. ત્યારે આવી સમસ્યા થતા લોકો ડોકટર પાસે જતા પણ ડરે […]
કોરોના કાળમાં તમારી જાતને તમે જેટલું સ્વસ્થ અને ફિટ રાખી શકો એ તમારા માટે જ બેસ્ટ છે. બદલાતી ઋતુના કારણે આજે લોકોને ગળામાં ખારાશ, ઇન્ફેક્શન, સૂકી ખાંસી, શરદી ખાંસી જેવી સમસ્યાઓથી હેરાન થવું પડે છે. આ એવી સમસ્યા છે જે કોરોનાના પણ લક્ષણમાં આવે છે. ત્યારે આવી સમસ્યા થતા લોકો ડોકટર પાસે જતા પણ ડરે છે.
જરૂરી નથી આ લક્ષણ એટલે કોરોના જ હોય, વાતાવરણમાં આવતા ફેરફારથી પણ આ સમસ્યા ઉભી થાય છે. પણ તમારે પરેશાન થવાની જરૂર નથી. તમારા રસોડામાં જ એક એવી વસ્તુ છે જે તમારી આ સમસ્યાનું નિરાકરણ માત્ર બે જ દિવસમાં લાવી દેશે. અમે વાત કરી રહ્યા છે લવિંગની.
લવિંગમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, આર્યન, સોડીયમ અને ઝીંક જેવા તત્વો સૌથી વધારે માત્રામાં હોય છે. લવિંગ ખાવાથી કે તેના તેલના સેવનથી પણ તમે ઘણી સમસ્યાથી બચી શકો છો.
1). આ સમયમાં ઇમ્યુન સિસ્ટમ મજબૂત રાખવી હોય તો લવિંગનું સેવન જરૂર કરો. તમને વારંવાર શરદી, ખાંસી, ખારાશ, તાવ જેવી સમસ્યા ક્યારેય નહીં નડે. લવિંગને મોઢામાં રાખવી નહિ તો હર્બલ ટી કે ઉકાળામાં નાંખવી.
2). પાચનશક્તિને મજબૂત બનાવે છે. બ્લડ ફ્લો વધારે છે. મોઢાની વાસ દૂર કરે છે. પેટમાં રહેલા બેક્ટેરિયાનો પણ નાશ કરે છે.
3). સુગર કંટ્રોલ કરે છે. પુરુષોની યૌન સંબંધિત સમસ્યાઓને દૂર કરવા પણ મદદ કરે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો