કોરોનાની મહામારી Travels ઉદ્યોગને ભરખી ગઈ, ટ્રાવેલ્સ બસના પૈડા અટકી ગયા

છેલ્લા 1 વર્ષથી કોરોનાની મહામારીએ ઘણા વેપાર-ધંધાને નુકસાન પહોચાડ્યું છે. કોરોનાની મહામારીની સૌથી વધુ અસર ટ્રાવેલ્સ ઉદ્યોગને થઇ છે.

Charmi Katira
| Edited By: | Updated on: Mar 29, 2021 | 9:58 AM

છેલ્લા 1 વર્ષથી કોરોનાની મહામારીએ ઘણા વેપાર-ધંધાને નુકસાન પહોચાડ્યું છે. કોરોનાની મહામારીની સૌથી વધુ અસર ટ્રાવેલ્સ (Travels) ઉદ્યોગને થઇ છે. એક વર્ષથી મંદીનો સામનો કરી રહેલા આ ઉદ્યોગ પાટે ચડી શકી એમ નથી. આ વચ્ચે ઘણા ટ્રાવેલ્સ સંચાલકોએ આ ધંધો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તો ઘણા સંચાલકોએ થોડા સમય માટે બસ બંધ કરવાનોં નિર્ણય કર્યો છે.

કોરોનાની મહામારીને કારણે ઘણા ટ્રાવેલ્સ સંચાલકોએ બસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રાઇવેટ કંપનીની ટ્રાવેલ્સ બસો કેટલાક સમય માટે બંધ કરવાનો નિર્ણય કર્યો છે.પાશ્વનાથ અને ટુરિસ્ટ કંપનીએ 50થી વધુ બસો બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

આ કંપનીએ દેશભરમાં સર્વિસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ કોરોના કેસમાં ઘટાડો અને સ્થિતી સામાન્ય ન થાય ત્યા સુધી ટ્રાવેલ્સ કંપની બસો બંઘ રાખશે. ટ્રાવેલ્સના ધંધાર્થી સાથે બસ ડ્રાઈવરની હાલત કફોડી થઇ છે. તો બીજી તરફ ટ્રાવેલ્સ પર લીધેલી લોન, જાળવણી કરવી, ડ્રાઈવરનો પગાર ચાલુ હોય છે. આ સાથે જ આવક ઓછી છે. જેને લઈને સ્થિતિ કફોડી થઇ છે.

નોંધનીય છે કે, ગુજરાતમે પ્રાઇવેટ 7000થી વધુ બસ છે, જે પૈકી મોટાભાગની બસની સર્વિસ બંધ કરવામાં આવી છે. છેલ્લા 35 વર્ષથી ધંધો કરતા પટેલ ટ્રાવેલ્સના માલિક મેઘજી ખેતાણીએ પણ ધંધો બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

તો સરકાર દ્વારા છ માસના ટેક્સમાં માફી આપી હતી પરંતુ એ સમયગાળામાં બસ ચાલી જ ન હતી એટલે કોઇ ફાયદો થયો ના હતો. તો બીજી તરફ ટ્રાવેલ્સ સંચાલકોએ માંગ કરી છે કે, મોરેટોરિયમ પીરીયડમાં વધારો કરવો જોઈએ.

Follow Us:
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">