કોરોનાકાળમાં જાદુગરોની હાલત બની કફોડી, તેમની પર નભનારા લોકો મુશ્કેલીમાં મુકાતા સરકારને રજૂઆત
કોરોના (Corona)નું એક તરફ સંક્રમણ વધતુ જઈ રહ્યુ છે તો બીજી તરફ કોરોનાની આડઅસર અનેક વ્યવસાયો પર પડી છે. આવી જ પીડા કળા, મનોરંજન અને આકર્ષણનો સમન્વય ધરાવતા જાદુગર (Magician)ના વ્યવસાયના કલાકારો પણ ભોગવી રહ્યા છે.
કોરોના (Corona)નું એક તરફ સંક્રમણ વધતુ જઈ રહ્યુ છે તો બીજી તરફ કોરોનાની આડઅસર અનેક વ્યવસાયો પર પડી છે. આવી જ પીડા કળા, મનોરંજન અને આકર્ષણનો સમન્વય ધરાવતા જાદુગર (Magician)ના વ્યવસાયના કલાકારો પણ ભોગવી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી પેટ ભરવાની સમસ્યા જાદુગરો અને તેમની સાથે સંકળાયેલા કલાકારો ભોગવી રહ્યા છે. થિયેટરોને એક તરફ છુટછાટો આપવામાં આવી છે તો બીજી તરફ જાદુ જેવા ખેલના આયોજન પર કોરોનાનું કારણ આગળ ધરવામાં આવી રહ્યા છે. જેને લઈને હવે જાદુગર એશોસીએશન દ્વારા સરકારને રજૂઆત હાથ ધરવામાં આવી છે.
સાબરકાંઠાના હિંમતનગરમાં રહેતા અને દેશમાં અનેક રાજ્યોમાં પોતાના જાદુના ખેલ દર્શાવીને પ્રસિદ્ધ બનેલા કરણ જાદુગરે (Karan Jadugar) પણ આ બાબતે રજૂઆત હાથ ધરી છે. જાદુગર એસોસીએશનના મહામંત્રી કરણ જાદુગરે આ બાબતે રાજ્ય સરકારને રજૂઆત કરીને કલાકારોના જીવન ગુજરાનની સ્થિતીથી વાકેફ કર્યા છે. સરકાર પાસેથી કોઈ જ આર્થિક સહાયની જરુર નથી, પરંતુ જાદુના કાર્યક્રમોને મર્યાદીત સંખ્યા અને કોરોના ગાઇડલાઈન્સ સાથે શરુ કરવા માંગ કરાઈ છે. જાદુના કાર્યક્રમના આયોજનની સાથે લાઈટીંગ, ડેકોરેશન, નૃત્ય, વિવિધ કળાઓ દ્વારા મનોરંજન કરનારા કલાકારો પણ એક વર્ષથી બેકારી ભોગવી રહ્યા છે.
અનેક કલાકારો હાલમાં બેકારીને લઈને આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહ્યા છે. અનેક કલાકારો અને તેમના પરિવારની હાલત દયનીય બની ચુકી છે તો બીજી તરફ દેશમાં અનેક રાજ્યોમાં સર્કસ અને જાદુના કાર્યક્રમો ગાઈડલાઈન્સ સાથે ચાલી રહ્યા છે. આમ ગુજરાતમાં પણ કોરોનાની સ્થિતી હળવી બનવા દિવસોમાં જાદુના ખેલ યોજવા માટે છુટ આપવી જોઈએ એવી માંગ કરી છે તો વળી આ દરમ્યાન કેટલાક સ્થળે શરુ થયેલા કાર્યક્રમ દરમ્યાન અધિકારીઓ આડોડાઈ કરી હોવાનું પણ સામે આવ્યુ હતુ.
આ પણ વાંચો: Corona: કોરોના સંક્રમણ વધવા લાગતા ગામડાઓ લોકડાઉન થવાની શરુઆત, સાબરકાંઠાના આ ગામમાં થયું લોકડાઉન