Tapi: ગંભીર અકસ્માતમાં વાલોડના પોલીસ કોન્સ્ટેબલનું કરુણ મોત, હાથ બાવડાથી છૂટો પડી ગયો

પોલીસ કોન્સ્ટેબલ (Constable) રણજીત ગામીત તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં ગડત ગામના રહેવાસી હતા. તેઓ વાલોડ પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા.

Tapi: ગંભીર અકસ્માતમાં વાલોડના પોલીસ કોન્સ્ટેબલનું કરુણ મોત, હાથ બાવડાથી છૂટો પડી ગયો
Constable death in Road Accident (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2022 | 3:50 PM

તાપી(Tapi ) જિલ્લાના વાલોડ તાલુકામાં પોલીસ(Police ) કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જવાનનું વાહન અકસ્માતમાં (Accident )મોત નીપજ્યું છે. જે રીતે અકસ્માત થયો હતો એ જોઈને ભલભલાને કંપારી છૂટી જાય. આ ગંભીર અકસ્માતમાં તેમને માથાના ભાગે તો ઇજા થઇ જ હતી. પણ તેનો અડધો હાથ પણ બાવડામાંથી છૂટો થઈ ગયો હતો. આ પોલીસ જવાનના મોતથી પરિવારે ઘરનો આધારસ્તંભ ગુમાવ્યો છે. વધુમાં મળતી માહિતી પ્રમાણે આજે સવારે 9 વાગ્યાના અરસામાં તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં પોલીસ કોન્સ્ટેબલ રણજીત ગામીત નોકરી માટે જવા પોતાની મોટર સાઇકલ લઈને નીકળ્યો હતો. તે દરમ્યાન ઉનાઈ ગામ પાસે બામણાંમાળ નજીક અજાણ્યા ટ્રક ચાલકે તેમની બાઇકને અડફેટમાં લીધી હતી.

અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાં કોન્સ્ટેબલ રણજીત ને કપાળથી લઈને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. એટલું જ નહીં તેનો જમણો હાથ પણ બાવડામાંથી છૂટો થઇ ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં કોન્સ્ટેબલનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. મરનાર કોન્સ્ટેબલના પિતા જશવંત ગામીતે આ અંગે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ આપી છે.

તેમના જણાવ્યા પ્રમાણે આજે સવારે તેઓ સબંધીની  વરસીની વિધિમાં ગયા હતા. તે દરમ્યાન જ સવારે તેમના પુત્રનું વાહન અકસ્માતમાં મોત નિપજતા તેમની પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. કોન્સ્ટેબલ રણજીત ગામીત તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં ગડત ગામના રહેવાસી હતા. તેમજ તેઓ વાલોડ પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

અકસ્માત બાદ તેમના મૃતદેહને વ્યારા જનરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જયારે ગંભીર અકસ્માત નોતરનાર ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે. તેમના પરિવારમાં રણજીત ભાઈ મોટા પુત્ર હતા. જે પરિવારના આધાર સ્તંભ સમાન હતા. જયારે અન્ય એક દીકરીના લગ્ન થઇ ગયા છે. મોટા દીકરાના આકસ્મિક નિધન બાદ પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું છે. એટલું જ નહીં પોલીસ કોન્સ્ટેબલના મોત બાદ પોલીસ બેડામાં પણ દુઃખની લાગણી પ્રસરી જવા પામી છે.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">