TAPI : સોનગઢ તાલુકાનું એકવાગોલણ ગામ પાયાની સુવિધાઓ ઝંખી રહ્યું છે, જાણો આ ગામની સમસ્યા
સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતા આ ગામની વસ્તી આશરે 175 લોકોની છે, અહીંના લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલ છે, પહાડોની વચ્ચે વસેલા આ નાનકડા ગામને પાયાની કહી શકાય તેવી આરોગ્યની સુવિધા હોય કે ધોરણ પાંચ પછીના શિક્ષણની કે પછી ખેતી માટે વીજળીની તેમણે આ બધીજ બાબતે વેઠવાનો વારો આવ્યો છે.
તાપી જિલ્લાના છેવાડે આવેલ એકવાગોલણ ગામ કે જ્યાં દરેક ચૂંટણીઓમાં સો ટકા મતદાન થાય છે, પરંતુ નાનકડા એવા સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતા આ ગામ હજુ પણ પાયાની કહી શકાય તેવી કેટલીક સમસ્યાઓથી ઝઝૂમી રહ્યું છે.
એકવાગોલણ ગામના લોકો પાયાની સુવિધા ઝંખે છે
ગુજરાત અને મહારાષ્ટ્રની હદને અડીના આવેલ તાપી જિલ્લાના એવા ઘણા ગામો છે, જે આજે પણ કેટલીય પાયાની કહી શકાય તેવી સુવિધાઓથી કોસો દૂર છે, જેમાંનું એક ગામ એટલે સોનગઢ તાલુકાનું એકવાગોલણ ગામ, આ ગામ પહાડોની વચ્ચે આવેલ છે અને તાપી જિલ્લાનું સૌથી ઓછી વસ્તી ધરાવતું ગામ છે. જેથી તેનો સમાવેશ કદાચ ગ્રૂપ ગ્રામ પંચાયતમાં કરાયો હશે, પરંતુ સમસ્યા એ છે કે આ ગામ તેની ગ્રામ પંચાયત મેઢા ગામથી આશરે 35 કિલોમીટર દૂર છે, એટલે મેઢા ગ્રામ પંચાયતનું એકવાગોલણ ગામવાસીઓને કોઈપણ કામ હોય તો મહારાષ્ટ્ર થઈ બાર જેટલા ગામોમાંથી પસાર થઈને જવું પડે છે, જેથી તેમણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
આદિવાસી ગામમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય
સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતા આ ગામની વસ્તી આશરે 175 લોકોની છે, અહીંના લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલ છે, પહાડોની વચ્ચે વસેલા આ નાનકડા ગામને પાયાની કહી શકાય તેવી આરોગ્યની સુવિધા હોય કે ધોરણ પાંચ પછીના શિક્ષણની કે પછી ખેતી માટે વીજળીની તેમણે આ બધીજ બાબતે વેઠવાનો વારો આવ્યો છે.
ખેતી પશુપાલન પર સંપૂર્ણ નિર્ભર એવા એકવાગોલણ ગામ સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે, જે આજેપણ ઘણી પાયાની સુવિધાઓથી વંચિત છે, આરોગ્ય, રેશનિંગનું અનાજ, બસની અસુવિધા, મોબાઈલ ટાવરની અસુવિધા, ખેતી માટે વીજળી, રસ્તા જેવી સમસ્યાઓથી ઝઝૂમતા આ ગામમાં નથી કોઈ રાજકીય નેતા ફરકતું કે નથી કોઈ અધિકારી, આઝાદી કાળથી વિવિધ સમસ્યાઓનો સામનો કરતા ગુજરાતના આ ગામને ગતિશીલ ગુજરાત કહેનાર રાજકારણીઓ આ ગામને પડખે ક્યારે આવશે તે જોવું રહ્યું.
આ પણ વાંચો : NARMADA : પ્રાથમિક શાળાઓ શરૂ, પરંતુ મધ્યાહન ભોજન યોજના હજુ બંધ