Tapi : રાજ્યમાં ‘નલ સે જલ ‘ યોજના 100 ટકા પૂર્ણના દાવા વચ્ચે અંતરિયાળ વિસ્તારો હજુ પણ પાણીની સુવિધાથી વંચિત

તાપી જિલ્લાનું કાકડવા ગામમાં વાસ્મો યોજના હેઠળ પાણી પહોંચાડવાની કામગીરી કાગળ પર તો પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ બે વર્ષ થવા છતાં લોકોના ફળિયા કે ઘર સુધી પાણી આવ્યું નથી.

Tapi : રાજ્યમાં 'નલ સે જલ ' યોજના 100 ટકા પૂર્ણના દાવા વચ્ચે અંતરિયાળ વિસ્તારો હજુ પણ પાણીની સુવિધાથી વંચિત
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2023 | 9:36 AM

રાજ્ય સરકારે વાસ્મો યોજના હેઠળ અનેક અંતરિયાળ વિસ્તારોમાં પીવાનું સ્વચ્છ પાણી ઘરે-ઘરે પહોંચાડ્યું છે. જો કે હજી પણ કેટલાક ગામડા પીવાના પાણીની સુવિધાથી વંચિત છે.  તાપી જિલ્લાનું કાકડવા ગામમાં વાસ્મો યોજના હેઠળ પાણી પહોંચાડવાની કામગીરી કાગળ પર તો પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ બે વર્ષ થવા છતાં લોકોના ફળિયા કે ઘર સુધી પાણી આવ્યું નથી. કાકડવા ગામના છ હજાર લોકો અને 800 ઘરોને પાણીનો સીધો લાભ મળવાનો હતો, પરંતુ સરકારની વહીવટી આંટીઘૂટીમાં યોજના અટવાઈ જતા કાકડવા ગામની મહિલાઓને એક કિલોમીટર દૂર પાણી લેવા જવું પડે છે.

સરકારની વહીવટી આંટીઘૂટીમાં યોજના અટવાઈ

કાકડવા ગામના માત્ર 20 ટકા ઘરોમાં પાણી પહોંચ્યું છે, પરંતુ વાસ્મોના અધિકારી તો 50 ટકા ઘરોમાં પાણી પહોંચ્યાનો દાવો કરી રહ્યાં છે. પાણી પુરૂ પાડવા માટે બનાવેલો બોર સુકાઈ ગયો હોવાથી મહત્તમ ઘરોને પાણી મળતું ન હોવાનો અધિકારીઓનો દાવો છે. વાસ્મોના અધિકારીઓ નલ સે જલ યોજના હેઠળ ભલે 100 ટકા કામગીરી થયાનો દાવો કરતા હોય. પરંતુ કાકડવા ગ્રામજનોની જાગૃતત્તાથી પાણી ન પહોંચ્યું હોવાનો વાત સામે આવી છે, ત્યારે ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરીને ગ્રામજનોને વહેલી તકે પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">