IAS કે. રાજેશની મુશ્કેલી વધી શકે છે, હાજર નહી થાય તો ફરાર જાહેર કરી શકે છે સીબીઆઈ

આ કેસમાં સુરેન્દ્રનગરના (Surendranagar) પૂર્વ સાંસદ સોમા પટેલે 11 મેએ 27 મુદ્દા સાથેનો 15 પાનાંનો એક પત્ર લખી કે. રાજેશની નાણાકીય ગેરરીતિનો ઘટસ્ફોટ કર્યો હતો. આ પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીને લખવામાં આવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2022 | 5:56 PM

IAS કે. રાજેશની મુશ્કેલીઓ આગામી સમયમાં વધી શકે છે. સમગ્ર કેસની તપાસમાં CBIને IAS કે. રાજેશ સામે સજ્જડ પુરાવા મળી રહ્યા છે. કે. રાજેશના 80 થી વધુ બેન્ક ખાતા તેમજ લોકરમાંથી રૂપિયા અને દાગીના ઉપરાંત કેટલાક દસ્તાવેજો પણ મળી આવ્યા છે. જેના પરથી CBI આવક કરતા વધુ સંપત્તિનો ગુનો તેમની સામે નોંધી શકે છે. આ બેંક ખાતાઓની જેમ જમીન સહિતની અનેક પ્રોપર્ટી અન્ય વ્યક્તિઓના નામે હોવાની પણ પોલીસને (Gujarat Police) આશંકા છે. આગળની કાર્યવાહીમાં જો કે.રાજેશ (IAS K. Rajesh) હાજર નહીં થાય CBI તેમને ફરાર પણ જાહેર કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, લાંચ અને ખોટી રીતે લાભ (Corruption) કરાવવા મામલે CBI દ્વારા સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશ સામે તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમા પટેલે 11 મેએ 27 મુદ્દા સાથેનો 15 પાનાંનો એક પત્ર લખી કે. રાજેશની નાણાકીય ગેરરીતિનો ઘટસ્ફોટ કર્યો હતો. આ પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીને લખવામાં આવ્યો હતો અને કે. રાજેશ વિરુદ્ધ સીબીઆઇ તપાસની માગ કરી હતી.

પૂર્વ સાંસદ સોમા પટેલ સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર વખત સાંસદ અને લીંબડી અને વિરમગામ વિધાનસભા વિસ્તારમાં ત્રણ વખત ધારાસભ્યપદે રહી ચૂક્યા છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી સતત તપાસ ચાલુ હોય એક પછી એક પુરાવાઓ સીબીઆઈના હાથ લાગી રહ્યા છે. તેમજ IAS કે. રાજેશના ભાઈ અને પત્નિના બેંકિંગ વ્યવહારો પર સીબીઆઈ નજર રાખી રહી છે અને તપાસ આગળ વધારી રહી છે.

Follow Us:
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">