Monsoon 2022 : ગુજરાતમાં ભાદરવામાં જામ્યો અષાઢી માહોલ! એક જ દિવસમાં વીજળી પડવાથી પાંચ લોકોના મોત
મેઘરાજાની તોફાની ઈનિંગથી એક જ દિવસમાં પાંચ લોકોના મોત થયા છે,જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વીજળીથી મોત થયાની બે ઘટના સામે આવી.તો દાહોદના (Dahod) ઝાલોદ તાલુકામાં વીજળી પડવાથી ત્રણ લોકો મોતને ભેટ્યા.
હવામાન વિભાગની (IMD) આગાહીના પગલે વરસાદની (Rain) વધુ એક ઈનિંગ શરૂ થઈ છે. ગત મોડી સાંજે અમદાવાદમાં (Ahmedabad) ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજા મનમુકીને વરસ્યા હતા. તો ગાંધીનગરના (Gandhinagar) દહેગામમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. વડોદરામાં (Vadodara) પણ વિજળીના ચમકારા સાથે વરસાદી માહોલ જામ્યો હતો. સુરત શહેર અને ગ્રામ્યમાં પણ મેઘરાજાએ સારી બેટિંગ કરી હતી. ખેડામાં પણ ધોધમાર વરસાદ (Heavy rain) વરસ્યો હતો. તો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. દેવભૂમિ દ્વારકાના ખંભાળીયામાં ભારે વરસાદથી રસ્તા પાણીમાં ગરકાવ થયા હતા.સુરેન્દ્રનગર (Surendranagar) અને વઢવાણમાં પણ લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો હતો.
મેઘાની તોફાની ઈનિંગથી સ્થિતિ વણસી
મેઘરાજાની તોફાની ઈનિંગથી એક જ દિવસમાં પાંચ લોકોના મોત થયા છે,જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વીજળીથી મોત થયાની બે ઘટના સામે આવી.વઢવાણ-વાડલા રોડ પર વીજળી પડતા એક યુવાન મોતને ભેટ્યો.તો બીજી તરફ કોઠારીયા ગામે વીજળી પડતા 17 વર્ષીય સગીરનું મોત થયુ છે.દાહોદના (Dahod) ઝાલોદ તાલુકાના ચણાસર,પાવડી અને કાળીગામ ગામે વીજળી પડતા ત્રણ ગામમાં બે પુરુષ અને એક મહિલાનું મોત નિપજ્યુ છે.ઝાલોદ તાલુકામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ (Rain) વરસી રહ્યો છે.
દાહોદઃ ઝાલોદ તાલુકાના ત્રણ ગામોમાં વીજળી પડતા ત્રણના મોત, ત્રણ ગામમાં બે પુરૂષ અને એક મહિલાનું મોત #TV9News pic.twitter.com/d2bKXlGw2z
— Tv9 Gujarati (@tv9gujarati) September 11, 2022