Surendranagar: 15 લાખની લૂંટનો કેસ ઉકેલાયો, પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ
સુરેન્દ્રનગરમાં આંખમાં મરચાની ભૂકી નાખીને 15 લાખની લૂંટનો કેસ ત્રણ વર્ષ પછી પોલીસે ઉકેલી નાખ્યો છે.
સુરેન્દ્રનગરમાં આંખમાં મરચાની ભૂકી નાખીને 15 લાખની લૂંટનો કેસ ત્રણ વર્ષ પછી પોલીસે (Police) ઉકેલી નાખ્યો છે. પોલીસે લૂંટ કેસમાં ત્રણ આરોપીઓને પકડી જેલના સળીયા પાછળ નાખી દીધા છે.
થાનગઢ નજીક વરમાધાર બોર્ડ પાસે વર્ષે 2018માં દૂધ મંડળીના કર્મચારીને આંખમાં મરચાની ભૂકી નાખી 14 લાખ 80 હજાર રૂપિયાની લૂંટ ચલાવી હતી. ત્યારે પોલીસે આ કેસમાં બાતમીના આધારે ત્રણ આરોપીની ધરપકડ સાથે લૂંટના 77 હજાર રોકડા જપ્ત કર્યા છે. જ્યારે બાકીના ફરાર ચાર આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.
Latest Videos
Latest News