સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં અગરીયાઓનું ઉપવાસ આંદોલન, ખાનગી કંપની સસ્તા ભાવે મીઠું વેચવા દબાણ કરતી હોવાનો અગરીયાઓનો આરોપ
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં અગરીયાઓ ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. ખાનગી કંપની સસ્તા ભાવે મીઠું વેચવા માટે દબાણ કરતી હોવાનો આરોપ અગરીયાઓ લગાવ્યો છે. આ ઉપરાંત ચાલીસ પાટાનાની જમીન કંપનીનું હોવાનું જણાવી તેમની ઉપર પોલીસ ફરિયાદ કરવાનું પણ કહેતા અગરીયાઓએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. મહત્વનું છે કે અગરીયાઓ દ્વારા પકવેલ મીઠું એક ટન દીઠ 340 રૂપિયા […]
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં અગરીયાઓ ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. ખાનગી કંપની સસ્તા ભાવે મીઠું વેચવા માટે દબાણ કરતી હોવાનો આરોપ અગરીયાઓ લગાવ્યો છે. આ ઉપરાંત ચાલીસ પાટાનાની જમીન કંપનીનું હોવાનું જણાવી તેમની ઉપર પોલીસ ફરિયાદ કરવાનું પણ કહેતા અગરીયાઓએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. મહત્વનું છે કે અગરીયાઓ દ્વારા પકવેલ મીઠું એક ટન દીઠ 340 રૂપિયા જેટલું થાય છે. જોકે કંપની 170ના ભાવે મીઠું વેચવાનું દબાણ કરે છે. અગરીયાઓની માગ છે કે સરકાર તેમનો અવાજ બનીને એક્શન નહી લે તો તેઓ આગામી દિવસમાં ઉગ્ર આંદોલન કરશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો